1. ધર્મ
  2. તહેવારો
  3. કુંભ મેળો
  4. mahakumbh live updates

Mahakumbh 2025 પોષ પૂર્ણિમાથી મહાકુંભનો પ્રારંભ, આજે થઈ રહ્યું છે પહેલું સ્નાન

prayagraj
Mahakumbh 2025 Live: પોષ પૂર્ણિમાના શુભ અવસર પર પ્રયાગરાજમાં મહાકુંભની શરૂઆત થઈ ચુકી છે. આજે લાખો ભક્તો ત્રિવેણી સંગમમાં ડૂબકી લગાવશે. હિન્દુ ધર્મના સૌથી મોટા ધાર્મિક તહેવારને લઈને ભક્તોના મનમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ૧૩ જાન્યુઆરીથી શરૂ થતો મહાકુંભનો પવિત્ર ઉત્સવ ૨૬ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. એવું માનવામાં આવે છે કે આ મહાકુંભ ૧૪૪ વર્ષ પછી આવ્યો છે અને તેથી તેને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યો છે. મહાકુંભનું પહેલું અમૃત સ્નાન (શાહી સ્નાન) ૧૪ જાન્યુઆરીએ થશે. હિન્દુ પૌરાણિક શાસ્ત્રો અનુસાર, મહાકુંભમાં ડૂબકી લગાવવાથી વ્યક્તિના બધા પાપો ધોવાઈ જાય છે અને તેને આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત થાય છે.

-  મહાકુંભ વિશે પીએમ મોદીએ ટ્વિટ કર્યું
 પીએમ મોદીએ મહાકુંભ અંગે ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કે મહાકુંભ શ્રદ્ધા, ભક્તિ અને સંસ્કૃતિના પવિત્ર સંગમમાં  અસંખ્ય લોકોને ભેગા કરશે.


- સવારે 35 લાખ લોકોએ કર્યું  સ્નાન 
 પોષ પૂર્ણિમાના દિવસે આજે મહાકુંભનો પ્રારંભ થયો છે. સવારથી જ લોકોની ભીડ જામી છે. માહિતી અનુસાર,  આજે સવારે 7.30 વાગ્યા સુધીમાં 35 લાખ લોકોએ સ્નાન કર્યું છે.


- મહાકુંભમાં તરતી પોલીસ ચોકી બનાવવામાં આવી 
 
આ વખતે મહાકુંભમાં યુપી પોલીસે સંગમમાં તરતી પોલીસ ચોકી બનાવી છે.
 
- મહાકુંભમાં ઘણા સંતો નાગા સાધુ બનશે
 

પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન, 3 દિવસની તપસ્યા પછી, 12 હજાર સંતો નાગા સન્યાસી બનશે. બધા અખાડાઓએ પણ આ માટે તૈયારીઓ કરી લીધી છે. મહાકુંભનું પહેલું અમૃત સ્નાન (શાહી સ્નાન) ૧૪ જાન્યુઆરીએ કરવામાં આવશે.

- સંગમ ઘાટે શ્રદ્ધાળુઓ ઉમટ્યા
આગળનો લેખ
Mahakumbh 2025- Drones-AI કેમેરા અને NSG કમાન્ડો... જાણો મહાકુંભમાં 45 કરોડ મહેમાનોની સુરક્ષા માટે શું વ્યવસ્થા છે