બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : સોમવાર, 8 ફેબ્રુઆરી 2021 (11:51 IST)

રાજ્યસભામાં પીએમ મોદીએ કરી ખેડૂતોને અપીલ - આંદોલન ખતમ કરો

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ  પર ચર્ચા કરવા ગૃહમાં સંબોધન કરી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજ્યસભામાં 13-14 કલાક સુધી  50 થી  વધુ સમય માટે, વધુ માનનીય સભ્યોએ તેમના મૂલ્યવાન અભિપ્રાયો આપ્યા. તેથી, હું બધા આદરણીય સભ્યો માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. ઉલ્લેખનીય છે  કે સંસદમાં પસાર થયેલા ત્રણ કૃષિ કાયદાને લઈને ખેડુતો દિલ્હીને અડીને આવેલા વિવિધ રાજ્યોની સરહદો પર આંદોલન કરી રહ્યા છે.
 
ભારત અવસરોની ભૂમિમાં ફેરવાઈ ગયું છે: વડા પ્રધાન
 
રાજ્યસભામાં વડા પ્રધાને કહ્યું, "જો આપણે આખી દુનિયાને જોઈએ અને તેની તુલના ભારતના યુવા માનસ સાથે કરીએ તો લાગે છે કે ભારત તકોની ભૂમિમાં ફેરવાઈ ગયું છે." એક દેશ જે યુવાન છે, ઉત્સાહથી ભરેલો છે અને તેના સપનાને પૂરા કરવા માટે સખત મહેનત કરે છે, તે આવી તકો ક્યારેય જવા નહી દે ''
 
-  આખી દુનિયા અનેક પડકારોનો સામનો કરી રહી છે: પીએમ મોદી
 
આખું વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. ભાગ્યે જ કોઈએ વિચાર્યું હશે કે આવા પડકારો વચ્ચે માનવજાતને આટલા મુશ્કેલ સમયમાંથી પસાર થવું પડશે.
 
- રાષ્ટ્રપતિનું ભાષણ સાંભળવા માટે બધા ગૃહમાં હોત સારું થાત : મોદી
 
રાજ્યસભામાં બોલતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 50 થી વધુ સાંસદોએ પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા. હું તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરું છું. લોકો રાષ્ટ્રપતિનું ભાષણ પણ સાંભળે તેવું સારું થયું હોત. તેમના ભાષણની તાકાત એટલી હતી કે તે સાંભળ્યા ન હોવા છતાં ઘણું બોલી શકે.
 

11:50 AM, 8th Feb
 
યુવા દેશનુ ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત પાયો બનશે 
 
ભારતની યુવા શક્તિ પર અમે જેટલો જોર લગાવીશુ આપણે જેટલી તકો તેમને આપીશુ તેઓ દેશના એટલુ જ ઉજ્જવળ ભવિષ્ય બનશે ભવિષ્ય માટે મજબૂત પાયો બનશે - પીએમ 
 
-આત્મનિર્ભર ભારતની તરફ આગળ વધવુ પડશે 
 
ગામ અને શહેરના અંતરને ઘટાડવુ છે તો આ માટે આત્મનિર્ભર ભારત તરફ વધવુ પડશે. 
 
-આંદોલનજીવીથી બચે દેશ - પીએમ 
 
શ્રમજીવી, બુદ્ધિજીવી પછી નવી જમાત સામે આવી છે. આંદોલનજીવી. સ્ટુડેંટ હોય કે કોઈપણ આંદોલન હોય ત્યા સામેલ થઈ જાય છે. આ આંદોલનજીવી પરજીવી હોય છે. જ્યા જ્યા સરકાર ચલાવતા હશે ત્યા ત્યા જોવા મળશે. નવી એફડીઆઈ આવી છે ? નવુ એફડીઆઈ એટલે ફોરેન ડિસ્ટ્રક્ટિવ એક્ટિવિટી. દેશે તેનાથી બચવુ પડશે. 
 

11:36 AM, 8th Feb
- ખેડૂતો કાયદા પર વિપક્ષના વિરોધની તુલના પીએમ મોદીએ લગ્નમાં નારાજ થનારાઓ સંબંધીઓ સાથે કરી 
 
કૃષિ કાયદા પર વિપક્ષના વિરોધની તુલના પીએમ મોદીએ લગ્નમાં નારાજ થનારા સંબંધીઓ સાથે કરી. તેમણે કહ્યુ જ્યારે આટલો મોટો પરિવાર છે તો આ બધુ ચાલતુ રહે છે. 
 
- પીએમ મોદીએ ખેડૂત કાયદા પર વિપક્ષના વિરોધને લઈને નિશાન સાધ્યુ 
 
પીએમ મોદીએ ખેડૂત કાયદા પર વિપક્ષના વિરોધને લઈને નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે અનેક રાજનીતિજ્ઞ યૂટર્ન મારી રહ્યા છે. રાજકારણ હાવી તો પોતાના વિચાર છૂટી જાય છે. મનમોહન સિંહે એક બજારની વાત કરી હતી. 
 
- બંગાળ રાજનીતિ આવી ન હોત તો 10 કરોડથી વધુ ખેડૂતોને સીધા પૈસા ટ્રાંસફર થતા 
 
પીએમ મોદીએ સંસદમાં કહ્યુ - 10 કરોડ ખેડૂતોના ખાતામાં પૈસા મોકલ્યા. જો બંગાળમાં રાજનીતિ આડે ન આવી હોત તો આ આંકડો વધુ હોત 

11:21 AM, 8th Feb
સમસ્યાનો ભાગ બનવું કે સમાધાનનું માધ્યમ: એ અમારે નિર્ણય કરવો પડશે: વડા પ્રધાન
પડકારો છે. પરંતુ અમારે તે નક્કી કરવું પડશે કે આપણે સમસ્યાનો ભાગ બનવા માંગીએ છીએ કે સમાધાનનું માધ્યમ: વડા પ્રધાન
 
જેઓએ દીવો પ્રગટાવ્યો તેમની મજાક ઉડાવવામાં આવી રહી છે: વડા પ્રધાન
સોશ્યલ મીડિયા પર, તમે જોયુ હશે કે એક ફુટપાથ પર એક નાનકડી ઝૂંપડીમાં બેઠેલી વૃદ્ધ માતા તેના ઝૂંપડાની બહાર દીવો પ્રગટાવીને ભારત માટે શુભ કામના કરી રહી છે. આપણે તેની મજાક ઉડાવી રહ્યા છીએ, એ ભાવનાની મજાક ઉડાવી રહ્યા છીએ, વિરોધ કરવા માટે કેટલા મુદ્દાઓ છે: વડા પ્રધાન
 
વડા પ્રધાને ખેડૂતોના મુદ્દા પર વાત કરી હતી
ગૃહમાં ખેડૂત આંદોલનને લઈને ઘણી ચર્ચા થઈ છે. આંદોલન વિશે જે સમય કહેવામાં આવ્યો હતો તે મોટા ભાગે કહેવામાં આવ્યું હતું. આંદોલન જેની છે તેના પર સૌએ મૌન રહેવું જોઈએ. જે મૂળભૂત બાબત છે, તે પણ ચર્ચા કરવામાં આવે તો સરસ થઈ હોત.

11:10 AM, 8th Feb
સદનમાં ખેડૂત આંદોલન પર ચર્ચા થઈ પણ આંદોલન કેમ થઈ રહ્યુ છે એ ન બતાવાયુ - પીએમ મોદી 
 
પીએમ મોદીએ કહ્યુ - સદનમાં ખેડૂત આંદોલન પર ચર્ચા થઈ. ખેડૂત આંદોલન કેમ થઈ રહ્યુ છે એ ન બતાવ્યુ. આંદોલનની મૂળભૂત વાત પર ચર્ચા થઈ જોઈતી હતી. 
 
 
દુનિયા રોકાણ માટે તરસી રહ્યુ છે પણ ભારતમાં રેકોર્ડ રોકાણ થઈ રહ્યુ છે -પીએમ 
કોરોનાકાળમાં દુનિયાના લોકો રોકાણ માટે તરસી રહ્યા છે પણ ભારત છે જ્યા રેકોર્ડ રોકાણ થઈ રહ્યુ છે. એક બાજુ નિરાશ્સાનુ વાતાવરણ છે તો બીજી  બાજુ હિન્દુસ્તાનમાં આશાની કિરણ જોવા મળી રહી છે. 

11:06 AM, 8th Feb
 
ભારત માટે દુનિયાને અનેક આશંકાઓ બતાવી હતી - પીએમ મોદી 
 
ભારત માટે દુનિયાએ અનેક આશંકાઓ બતાવી હતી. વિશ્વ ખૂબ ચિંતિત હતુ કે જો કોરોનાની આ મહામારી ભારતમાં ભારત ખુદને સાચવી ન શક્યુ તો ફક્ત ભારત જ નહી પરંતુ સમગ્ર માનવ જાતિ માટે ખૂબ મોટુ સંકટ આવી જશે. આ આશંકાઓએ બધાને બતાવી. 
 
કોરોનાને લઈને ગભરાવવાની કોશિશ પણ થઈ - પીએમ મોદી 
 
અમારી ત્યા કોરોનાને લઈને ગભરાવવાની કોશિશ પણ થઈ. અનેક વિશેષજ્ઞોએ પોતાની સમજ મુજબ આજે દુનિયા આ વાત પર ગર્વ કરી રહ્યુ છે કે ભારતે ક્રોરોનાની લડીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ લડાઈ જીતવાનો યશ કોઈ સરકારને જતો નથી, પણ આ ભારતને જાય છે. વિશ્વ સામે આત્મવિશ્વાસથી બોલવામાં શુ જાય છે. 
 
લોકતંત્રની જનની છે મા 
 
પીએમ મોદીએ વિપક્ષ પર કર્યો હુમલો - લોકતંત્રને લઈને ખૂબ ઉપદેશ આપ્યા. ભારતનુ લોકતંત્ર ખૂબ મજબૂત છે. ભારત રાષ્ટ્રવાદ સંકીર્ણ નથી.  આપણે આપણી યુવા પેઢી પાસેથી સીખવુ પડશે ભારત લોકતંત્રની જનની છે.