1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 24 એપ્રિલ 2022 (11:02 IST)

CBSEએ મુઘલ સભા, ફૈઝની કવિતાઓ અભ્યાસક્રમમાંથી દૂર કર્યા

એનડીટીવી ડોટ કૉમના એક અહેવાલ અનુસાર CBSEએ ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાંથી બિનજોડાણવાદની ચળવળ, શીતયુદ્ધ યુગ, એફ્રો-એશિયન ક્ષેત્રમાં ઇસ્લામિક શાસનનો ઉદય, મુઘલ સભાનો ઇતિહાસ અને ઔદ્યોગિક ક્રાંતિ અંગેના પાઠ દૂર કર્યા છે.
 
આવી જ રીતે ધોરણ 10ના અભ્યાસક્રમમાંથી 'વૈશ્વિકવાદ ખેતી પર અસર'ના ટૉપિકને 'ફૂડ સિક્યૉરિટી'ના ચૅપ્ટરમાંથી દૂર કરવામાં આવ્યો છે. આ સિવાય ફૈઝ અહમદ ફૈઝની ઉર્દૂ કવિતાના ભાષાંતરના અંશ પણ અભ્યાસક્રમમાંથી હઠાવી દેવાયા છે.
 
ન્યૂઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર આ પગલા અંગે સ્પષ્ટતા કરતાં CBSEના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ફેરફાર NCERTની સૂચનો પ્રમાણે કરાયેલ છે.