શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: શુક્રવાર, 10 ડિસેમ્બર 2021 (08:48 IST)

આજે થશે જનરલ બિપિન રાવતના અંતિમ સંસ્કાર , સામાન્ય લોકો પણ દેશના પ્રથમ CDSને અંતિમ શ્રદ્ધાંજલિ આપી શકશે

ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું આઠમી ડિસેમ્બરે કુન્નૂરમાં તમિલનાડુની હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમના પત્ની મધુલિકા સહિત 13 જવાનોનો મૃતદેહ ગુરૂવારે સાંજે લગભગ પોણા આઠ વાગ્યે દિલ્હીના પાલમ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રક્ષામંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
 
જનરલ રાવત અંગે શોકસંદેશો ટ્વીટ કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, "જનરલ બિપિન રાવત એક શાનદાર સૈનિક હતા. સાચા દેશભક્ત, જેમણે સૈન્યના આધુનિકીકરણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી."
 
"વ્યૂહાત્મક અને યુદ્ધકૌશલસંબંધી બાબતોમાં એમનો દૃષ્ટિકોણ 'અતુલ્ય' હતો. તેઓ નથી રહ્યા એથી હું અત્યંત દુઃખી થયો છું. ભારત તેમના યોગદાનને ક્યારેય ભૂલશે નહીં."
 
31 ડિસેમ્બર 2016એ જ્યારે જનરલ બિપિન રાવતને ભૂમિદળની કમાન સોંપવામાં આવી ત્યારે જ સમજાઈ ગયું હતું કે વડા પ્રધાન મોદીને તેમના પર ખૂબ જ ભરોસો છે
 
31 ડિસેમ્બર 2016એ જ્યારે જનરલ બિપિન રાવતને ભૂમિદળની કમાન સોંપવામાં આવી ત્યારે જ સમજાઈ ગયું હતું કે વડા પ્રધાન મોદીને તેમના પર ખૂબ જ ભરોસો છે
 
31 ડિસેમ્બર 2016એ જ્યારે જનરલ બિપિન રાવતને ભૂમિદળની કમાન સોંપવામાં આવી ત્યારે જ સમજાઈ ગયું હતું કે વડા પ્રધાન મોદીને તેમના પર ખૂબ જ ભરોસો છે.
જનરલ રાવત ભૂમિદળના પ્રમુખ બન્યા એ કોઈ સામાન્ય પ્રક્રિયા નહોતી. એમનાથી સિનિયર બે વરિષ્ઠ અધિકારીઓની ઉપેક્ષા કરીને એમને સેનાનું નેતૃત્વ સોંપાયું હતું.
 
જો પારંપરિક પ્રક્રિયાથી સેનાપ્રમુખની નિયુક્તિ થઈ હોત તો, વરિષ્ઠતાના ક્રમાંકે ત્યારના ઇસ્ટર્ન કમાન્ડના પ્રમુખ જનરલ પ્રવીણ બક્ષી અને દક્ષિણ કમાન્ડના પ્રમુખ પી. મોહમ્મદ અલી હારિજનો વારો હતો.