રવિવાર, 28 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 4 સપ્ટેમ્બર 2022 (14:06 IST)

દિલ્હી : કૉંગ્રેસનું મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન, દેશભરમાંથી કાર્યકરો

કૉંગ્રેસ દ્વારા રવિવારે મોંઘવારી મુદ્દે દિલ્હીમાં રામલીલા મેદાન ખાતે વિરોધપ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સવારથી મોટી સંખ્યામાં કૉંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ વિરોધપ્રદર્શનનું આયોજન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટીના ઉચ્ચ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે.
 
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસ નેતા જયરામ રમેશે સવારે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે આ વિરોધપ્રદર્શન ચૂંટણીને અનુલક્ષીને નહીં પરંતુ કેન્દ્રમાં બેસેલી અસંવેદનશીલ સરકારનું દેશમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અને મોંઘવારી તરફ ધ્યાન દોરવા માટે છે.
 
વિરોધપ્રદર્શન શરૂ થયું ત્યારથી એવા અહેવાલો હતા કે પોલીસ દ્વારા વિરોધપ્રદર્શન માટે આવી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે.
 
જોકે, દિલ્હી પોલીસે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે એક પણ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી નથી. જુદીજુદી જગ્યાઓએ વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને પોલીસ દ્વારા રામલીલા મેદાન લઈ જવામાં આવી રહ્યા છે.
 
ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પ્રમાણે, આ વિરોધપ્રદર્શનનું આયોજન કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું છે. જેમાં પાર્ટીના ઉચ્ચ નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પ્રદર્શન કરી રહ્યા છે.
 
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસ નેતા જયરામ રમેશે સવારે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે આ વિરોધપ્રદર્શન ચૂંટણીને અનુલક્ષીને નહીં પરંતુ કેન્દ્રમાં બેસેલી અસંવેદનશીલ સરકારનું દેશમાં પ્રવર્તી રહેલી બેરોજગારી અને મોંઘવારી તરફ ધ્યાન દોરવા માટે છે.
 
વિરોધપ્રદર્શન શરૂ થયું ત્યારથી એવા અહેવાલો હતા કે પોલીસ દ્વારા વિરોધપ્રદર્શન માટે આવી રહેલા કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી રહી છે.
 
જોકે, દિલ્હી પોલીસે ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી હતી કે એક પણ કાર્યકર્તાની અટકાયત કરવામાં આવી નથી. જુદીજુદી જગ્યાઓએ વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને પોલીસ દ્વારા રામલીલા મેદાન લઈ જવામાં આવી રહ્યા છે.