1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 5 ફેબ્રુઆરી 2023 (11:07 IST)

Telangana Earthquake: તેલંગનામાં ભૂકંપના આંચકા, રિક્ટર સ્કેલ પર 3.1ની તીવ્રતા

earthquake
તેલંગાણાના નિઝામાબાદમાં રવિવારે સવારે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું કે ભૂકંપ નિઝામાબાદથી 120 કિમી ઉત્તર પશ્ચિમમાં આવ્યો હતો.
 
5 કિલોમીટરની ઊંડાઈએ ભૂકંપ
મળતી માહિતી મુજબ રવિવારે સવારે 8.12 કલાકે ભૂકંપ આવ્યો હતો. તેની ઊંડાઈ પાંચ કિમી હતી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ પણ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. ભૂકંપના આંચકા બાદ લોકોમાં ભય ફેલાયો હતો. લોકો ઘરની બહાર આવી ગયા. રાહતની વાત એ છે કે અત્યાર સુધી કોઈ જાન-માલનું નુકસાન થયું નથી.