ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 1 ડિસેમ્બર 2021 (15:18 IST)

આંદોલનમાં મૃત્યુ પામનારા ખેડૂતોનો આંકડો નથી, માટે વળતરનો સવાલ જ નથી : મોદી સરકાર

કૃષિકાયદાના વિરોધમાં એક વર્ષ સુધી ચાલેલા આંદોલન દરમિયાન અંદાજે 700 ખેડૂતોનાં મૃત્યુ થયાંનો દાવો ખેડૂતનેતાઓ દ્વારા અનેક વખત કરાયો છે.
 
ત્યારે કેન્દ્ર સરકાર પાસે તેનો કોઈ રેકર્ડ ન હોવાથી સહાય આપવાનો પ્રશ્ન જ ન ઊઠતો હોવાનું કેન્દ્રીય કૃષિમંત્રીએ જણાવ્યું હતું.
 
એનડીટીવીના અહેવાલ પ્રમાણે લોકસભામાં પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, દિલ્હીની સરહદે આંદોલન કરી રહેલા કેટલા ખેડૂતોનાં મૃત્યુ નીપજ્યાં છે અને સરકાર તેમના પરિવારને સહાય આપશે કે કેમ?
 
આ પ્રશ્નના લેખિત જવાબમાં કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર તોમરે જણાવ્યું હતું કે, "કૃષિ મંત્રાલય પાસે આ સંદર્ભે કોઈ આંકડા નથી, જેથી સહાય આપવાનો કોઈ પ્રશ્ન ઊઠતો નથી."