1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્લી. , શુક્રવાર, 8 જુલાઈ 2022 (23:54 IST)

શ્રી શ્રી રવિશંકરની શિંજો આબેને શ્રદ્ધાંજલિ, સાથે વિતાવેલી ક્ષણોને કરી યાદ

આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક શ્રી શ્રી રવિશંકરે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી શિંજે આબેને શ્રદ્ધાંજલિ અર્પિત કરી અને તેમની સાથે વિતાવેલા ક્ષણોને ફોટો ટ્વિટર શેયર કર્યા. 
 
શ્રી શ્રી રવિશંકરે કહ્યુ કે શિંજ આબે એક સાચા સાધક અને આધ્યાત્મિકતાના પ્રશંસક હતા. તે પોતાની પત્ની સાથે નિયમિત રૂપે ધ્યાન અને સુદર્શન ક્રિયાનો અભ્યાસ કરતા  હતા. શિંજો અમારી સાથે એક દસકાથી પણ વધુ સમયથી જોડાયેલા હતા. 

 
તેમણે કહ્યુ કે શિંજો પ્રાચીનતઆ અને આધુનિકતાના સમન્વયના પક્ષઘર હતા. તેમના વ્યવ્હારિક નેતૃત્વને સદૈવ યાદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આબેની શુક્રવારે જાપાનના નારો શહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી.