શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 23 ડિસેમ્બર 2021 (13:11 IST)

મુંબઈ: કંગના રનૌત પોતાનું નિવેદન નોંધવા પોલીસ સ્ટેશન પહોંચી, ત્યાં શીખ સમુદાય વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીનો મામલો છે.

સિક્ખ સમુદાય વિરૂદ્ધ આપત્તિજનત ટિપ્પણી કરી ફંસાઈ કંગના રનૌત તેમના નિવેદન આપવા મુંબઈ પોલીસ સ્ટેશન પહોંચી છે. કંગના 22 ડિસેમ્બરને ખાર પોલીસજ સ્ટેશનમાં તેમનો નિવેદન નોંધાવવા હતા પણ એક્ટ્રેસ શૂંટિંગ માટે મુંબઈથી બહાર હતી તેથી તેણે પોલીસથી છૂટની માંગણી કરતા નવી તારીખ માંગી હતી પણ પોલીસે તેમની અપીલનો કોઈ જવાબ નહી આપ્યુ હતુ. જે પછી કંગના તેમનો નિવેદન  નોંધાવવા ખાર પોલીસ સ્ટેશન પહોંચી છે. 
કોર્ટે આદેશ કર્યો હતો
છેલ્લી સુનાવણી દરમિયાન, બોમ્બે હાઈકોર્ટે તેને 22 ડિસેમ્બરે મુંબઈ પોલીસ સમક્ષ હાજર થવાનો આદેશ આપ્યો હતો. વાસ્તવમાં, અભિનેત્રીએ સરકાર દ્વારા કૃષિ કાયદાઓ હટાવ્યા બાદ સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, 'ખાલિસ્તાની આતંકવાદીઓએ આજે ​​ભલે સરકારનો હાથ મરોડ્યો હોય, પરંતુ એ ન ભૂલવું જોઈએ કે એક મહિલા વડાપ્રધાને તેમને કચડી નાખ્યા હતા. ભલે આના કારણે દેશને કેટલું નુકસાન થયું હોય.