રવિવાર, 8 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વિધાનસભા ચૂંટણી 2023
  3. રાજસ્થાન વિધાનસભા ચૂંટણી 2023
Written By
Last Updated : બુધવાર, 25 ઑક્ટોબર 2023 (15:23 IST)

Rajasthan Election 2023 : ભાજપના નેતાઓએ ટિકિટ કેન્સલનો કર્યો વિરોધ, પાર્ટીના ઝંડા પણ સળગાવ્યા

rajsthan election
rajsthan election
ભારતીય જનતા પાર્ટી (BJP) એ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે 41 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. એક દિવસ પછી, મંગળવારે ટિકિટ ન મળવાથી નારાજ ઘણા નેતાઓ અને તેમના સમર્થકોએ પાર્ટીનો વિરોધ કર્યો. એક ઘટનામાં તો એક નેતાના સમર્થકોએ પાર્ટીનો ઝંડો પણ સળગાવી દીધો હતો. આ પ્રદર્શન જયપુરમાં બીજેપી હેડક્વાર્ટર ખાતે યોજાયું હતું. આ ઉપરાંત, 41માંથી કેટલાક મતવિસ્તારોમાં વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા, જેના માટે પાર્ટીએ સોમવારે તેના ઉમેદવારોની જાહેરાત કરી હતી.
 
"પૈરાશૂટ" ઉમેદવારને હટાવાવાની માંગ 
 
પાર્ટીના સૂત્રોએ જણાવ્યું કે કેટલાક નેતાઓના અસંતોષને જોતા ભાજપે આ મામલાની તપાસ માટે કેન્દ્રીય મંત્રી કૈલાશ ચૌધરીની અધ્યક્ષતામાં 11 સભ્યોની સમિતિની રચના કરી છે. જોતવારા મતવિસ્તારના પૂર્વ ભાજપના ધારાસભ્ય રાજપાલ સિંહ શેખાવતના સમર્થકોએ આ બેઠક પરથી ભાજપના સાંસદ રાજ્યવર્ધન સિંહ રાઠોડની ઉમેદવારી સામે વિરોધ કર્યો. આ વિરોધ લગભગ ત્રણ કલાક સુધી ચાલ્યો હતો. શેખાવતના સમર્થકોએ મતવિસ્તારને બચાવવા માટે "પેરાશૂટ" ઉમેદવારને હટાવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભૂતપૂર્વ પ્રધાન શેખાવત ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના નજીકના માનવામાં આવે છે અને ટિકિટ ન મળતાં તેઓ મોડી રાત્રે તેમની સાથે મળ્યા હતા. રાજેને મળ્યા બાદ શેખાવતે મીડિયાને જણાવ્યું કે, 41 ઉમેદવારોની યાદીમાં 10 બળવાખોર છે.

 
મુકેશ ગોયલના સમર્થકોએ ઝંડા સળગાવ્યા હતા
રાજસ્થાન ભાજપના પૂર્વ અધ્યક્ષ અરુણ ચતુર્વેદી અને પાર્ટીના નેતા ઓમકાર સિંહ લખાવતે આ મુદ્દાને ઉકેલવા માટે 15 સભ્યોના પ્રતિનિધિમંડળ સાથે વાત કરી હતી. ટિકિટ ન મળ્યા બાદ બીજેપી નેતા મુકેશ ગોયલે કહ્યું કે કોટપુતલીમાં પાર્ટીને જોરદાર હારનો સામનો કરવો પડશે. ગત વિધાનસભા ચૂંટણીમાં ગોયલ કોટપુતલી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેઓ જીતી શક્યા ન હતા. ગોયલે મીડિયાને કહ્યું, "કોટપુતલીમાં બીજેપીને કારમી હારનો સામનો કરવો પડશે અને રાજસ્થાનમાં 40-50 સીટો પર ઘટી જશે." ગોયલના સમર્થકોએ આ સીટ પરથી હંસરાજ પટેલની ઉમેદવારી સામે પાર્ટીના ઝંડા સળગાવ્યા હતા.
 
ભાજપના ઘણા નારાજ નેતાઓએ તેમનો વિરોધ બતાવ્યો  
ભરતપુર નગર વિધાનસભા ક્ષેત્રમાંથી બે વખત ધારાસભ્ય રહી ચૂકેલી અનિતા સિંહે ટિકિટ ન મળવા છતાં ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે. સિંહે સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું, “બીજેપીએ મને કઈ ધારણાથી પોતાનાથી દૂર કર્યો છે? એવી વ્યક્તિને ટિકિટ આપવામાં આવી છે જેની સિક્યોરિટી ડિપોઝિટ જપ્ત કરવામાં આવશે.'' સિંહ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન વસુંધરા રાજેના કેમ્પમાંથી હોવાનું પણ કહેવાય છે. ભાજપે આ બેઠક પરથી જવાહર સિંહ બેદમને મેદાનમાં ઉતાર્યા છે. બેદમે 2018માં કમાન વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા.   તેવી જ રીતે પૂર્વ મંત્રી રોહિતેશ શર્માએ પણ ભાજપ દ્વારા જાહેર કરાયેલી ઉમેદવારોની યાદી સામે બળવાખોર વલણ દાખવ્યું છે. તેમને બાનાસુર વિધાનસભા ક્ષેત્રમાંથી ટિકિટ મળવાની આશા હતી, પરંતુ ભાજપે અહીંથી દેવી સિંહ શેખાવતને ટિકિટ આપી છે. શર્માએ કહ્યું, “લોકોએ ટિકિટ વિતરણ વ્યવસ્થાને લઈને ચિંતા કરવાની જરૂર નથી. અગાઉ પણ લોકોને જાતિ અને પૈસાના આધારે ટિકિટ મળી હતી, પરંતુ તેઓ હારી ગયા હતા.
 
ભાજપની પ્રથમ યાદીમાં 1 રાજ્યસભા, 6 લોકસભા સાંસદ
તમને જણાવી દઈએ કે ચૂંટણી કાર્યક્રમ જાહેર થયાના થોડાક કલાકો બાદ જ ભાજપે સોમવારે પ્રથમ યાદી બહાર પાડી હતી. ભાજપે સોમવારે રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી માટે 41 ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી, જેમાં રાજ્યવર્ધન રાઠોડ અને બાલકનાથ સહિત સાત વર્તમાન સાંસદોના નામ પણ સામેલ છે. જેમાંથી એક રાજ્યસભામાંથી જ્યારે છ લોકસભામાંથી છે. પાર્ટીએ ગત ચૂંટણીમાં હારેલા 12 ઉમેદવારોને બીજી તક આપી છે.
વીડિયોમાં અભિનેત્રી ઈઝરાયેલને સપોર્ટ કરી રહી છે અને પોતાના પરિવારને ગુમાવવાનું દુઃખ વ્યક્ત કરી રહી છે. મધુરા નાયકે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જે ઘણો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક્ટ્રેસ ખૂબ જ ભાવુક થઈ ગઈ અને કહ્યું- 'હું મધુરા નાયક છું, ભારતમાં જન્મેલી યહૂદી છું. ભારતમાં આપણામાંથી માત્ર 3000 છે. 7 ઓક્ટોબર પહેલા અમે અમારા પરિવારમાંથી એક દીકરી અને એક દીકરો ગુમાવ્યો.