1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (13:46 IST)

અમદાવાદમાં માધુપુરા મસ્જિદમાં શંકાસ્પદ લોકો છુપાયા હોવાની માહિતી

અમદાવાદના માધવપુરાની મસ્જિદમાં શંકાસ્પદ લોકો છુપાયા હોવાની માહિતી સામે આવી છે, શંકાસ્પદ લોકો હોવાની માહિત મળતી પોલીસ તંત્ર દોડતું થઈ ગયું છે અને પોલીસ વિભાગ દ્વારા કન્ટ્રોલ રૂમને જાણ કરીને વધુ પોલીસ કાફલાની મદદ માંગવામાં આવી છે. પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવીને તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 
 
રે અમદાવાદ (Ahmedabad) ના કન્ટ્રોલ રૂમમાં એક મેસેજ આવતા જ પોલીસ તંત્ર દોડતુ થયું હતું. અમદાવાદના સરસપુર વિસ્તારમાં એક મસ્જિદમાં અજાણ્યા માણસો છુપાયા છે તેવો કન્ટ્રોલ રૂમ (controll room) ને મેસેજ મળતા જ પોલીસ દોડતી થઈ હતી. જોકે, મસ્જિદમા તપાસ બાદ કંઈ પણ શંકાસ્પદ ન મળતા પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.