1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Last Updated : ગુરુવાર, 18 જાન્યુઆરી 2024 (19:39 IST)

વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતા 20 જેટલા વિદ્યાર્થીઓ ડૂબ્યાં, દુર્ઘટનામાં મૃત્યુ આંક 14 પર પહોંચ્યો

20 students drown as boat capsizes in Vadodara
20 students drown as boat capsizes in Vadodara



વડોદરા ની ગોઝારી દુર્ઘટનામાં મૃત્યુ આંક 14 પર પહોંચ્યો 
 12 બાળકો અને બે શિક્ષકોના મોત 
 મૃત્યુ આંક હજુ પણ  વધવાની સંભાવના 
 ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વડોદરા પહોંચ્યા 
 
 વડોદરા પોલીસમાં બોટ સંચાલકો સામે નોંધાઈ FIRશહેરના હરણી ખાતે આવેલા મોટનાથ તળાવે પ્રવાસ માટે ન્યૂ સન રાઈઝ સ્કૂલના બાળકો પહોંચ્યા હતા. ત્યારે ક્ષમતા કરતા વધુ બાળકો બોટમાં બેસાડી તળાવનો રાઉન્ડ મારવામાં આવી રહ્યો હતો.આ દરમિયાન અચાનક બોટ પલટી મારી જતા વિદ્યાર્થીઓ તળાવમાં ડૂબ્યા હતા. જોકે, ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક સ્થળ પર ટીમ દોડી આવી હતી. ફાયર વિભાગ દ્વારા હાલ બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે. કેટલાક બાળકોને હોસ્પિટલ પણ ખસેડવામાં આવ્યા હોવાની માહિતી મળી છે. 

આ ઘટનામાં કુલ 15 લોકોના મોત થયા છે. જેમાં બે શિક્ષક અને 13 બાળક હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે, ફાયર વિભાગ દ્વારા 10 બાળકો અને 2 શિક્ષકોને બચાવી લેવામાં આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે ફાયર વિભાગ દ્વારા ઘટના સ્થળ પર હાલ રેસ્ક્યૂ ઓપરેશન જારી રાખવામાં આવ્યું છે. તેમજ હાલ NDRFની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી છે.

 
 
સાત બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
ડેપ્યુટી મેયર ચિરાગ બારોટે મીડિયાને જણાવ્યું હતુ કે, અહીંયા બાળકો બોટિંગ કરી રહ્યાં હતા તે બોટ ઊંધી વળી ગઈ છે એટલી જાણ છે પણ અન્ય બાબતની મને ખબર નથી. વડોદરાના કલેક્ટર એ.બી ગોરે મીડિયાને જણાવ્યું હતું કે, મારી જાણકારી મુજબ 23 ભુલકાઓ અને 4 શિક્ષકો હતા. તેમાંથી 11ને બચાવી લેવામાં આવ્યા છે. સાત બાળકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને સુરક્ષિત છે.
20 students drown as boat capsizes in Vadodara
20 students drown as boat capsizes in Vadodara

બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક: CM ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડોદરાની ગોઝારી ઘટના અંગે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં બાળકોના ડૂબવાની ઘટના અત્યંત હૃદયવિદારક છે. જાન ગુમાવનાર નિર્દોષ બાળકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરું છું. દુ:ખની આ ઘડીમાં તેમના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. પરમકૃપાળુ પરમાત્મા તેમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. તંત્ર દ્વારા બોટમાં સવાર વિદ્યાર્થીઓ અને શિક્ષકની બચાવ કામગીરી હાલ ચાલુ છે. દુર્ઘટનાનો ભોગ બનનારાને રાહત અને સારવાર તાકીદે મળે તે માટે તંત્રને સૂચના આપી છે.