શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 12 ફેબ્રુઆરી 2022 (20:26 IST)

રાજ્યમાં સતત કોરોના કેસમાં ઘટાડો, રિકવરી રેટ 97.80 ટકાએ પહોંચ્યો

રાજ્યમાં ફરી એકવાર દિવસે ને દિવસે સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં મોટાપાયે ચલાવવામાં આવેલા રસીકરણ અભિયાનના લીધે કોરોનાની ત્રીજી લહેર ઓછી અસરકારક રહી છે. ગુજરાતમાં હવે કોરોનાના કેસોમાં તબક્કાવાર ઘટાડો થઇ રહ્યો છે. રાગુજરાતમાં કોરોનાનો આંકડો ખુબ જ ઝડપથી ઘટી રહ્યો છે. રોજે રોજ કોરોનાના કેસમાં ઝડપથી ઘટાડો આવી રહ્યો છે. આજે રાજ્યમાં માત્ર 1646 કેસ જ નોંધાયા છે. તો બીજી તરપ 3955 દર્દીઓ સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 11,87,249 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 97.80 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં 2,28,507 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે. 
 
16થી ઓછા એક્ટિવ કેસ
કુલ 15972 દર્દી એક્ટિવ છે. જે પૈકી 103 નાગિરકો વેન્ટિલેટર પર છે. જ્યારે 15869 દર્દીઓ સ્ટેબલ છે. જ્યારે 1187249 દર્દીઓ ડીસ્ચાર્જ થઇ ચુક્યાં છે. જ્યારે 10795 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. આજે કોરોનાને કારણે 20 નાગરિકોનાં મોત થઇ ચુક્યાં છે. 
 
જાણો કયા જીલ્લામાં થયા મોત
ભાવનગરમાં 2,  દાહોદમાં 1, પંચમહાલ 1, ભરૂચમાં 2, સાબરકાંઠામાં 1, મહેસાણામાં 1, સુરતમાં 3,  વડોદરા કોર્પોરેશનમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 5 નાગરિકોનાં મોત થઇ ચુક્યો છે.     
 
જાણો કયા જિલ્લામાં કેટલા કેસ નોંધાયા
અમદાવાદ કોર્પોરેશન 546, વડોદરા કોર્પોરેશન 281, રાજકોટ કોર્પોરેશન 57, ગાંધીનગર કોર્પોરેશન 48, સુરત કોર્પોરેશન 46, ભાવનગર કોર્પોરેશન 12, જુનાગઢ-જામનગર કોર્પોરેશન 3-3, વડોદરા 90, સુરત 70, મહેસાણા 69, બનાસકાંઠા 64, રાજકોટ 39, ખેડા 38, ગાંધીનગર- સાબરકાંઠા 32-32, આણંદ 25, મોરબી 16, અમરેલી 15, અમદાવાદ 14, ભરૂચ 14, અરવલ્લી 13, નવસારી 13, પાટણ 13, કચ્છ 12, પંચમહાલ 10, દાહોદ 9, તાપી 9, વલસાડ 9, સુરેન્દ્રનગર 8, છોટાઉદેપુર 6, જુનાગઢ 6, ભાવનગર 5, નર્મદા 4, ડાંગ 3, દેવભૂમિ દ્રારકા 3, મહિસાગર 2, ગીરસોમનાથ 1, પોરબંદર 1 અને બોટાદમાં 0 કેસ નોંધાયા છે. 
 
રસીકરણ
હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 18 ને પ્રથમ અને 34 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 3307 ને પ્રથમ અને 11116 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 16888 ને પ્રથમ અને 62385 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 15-18 વર્ષના  16464 ને પ્રથમ અને 82993 ને બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 35302 ને પ્રિકોર્શન ડોઝ અપાઇ ચુક્યો છે. 2,28,507 કુલ ડોઝ અપાયા છે. અત્યાર સુધીમાં કુલ 10,09,45,564 ડોઝ અપાઇ ચુક્યાં છે.