સંબંધિત સમાચાર
- LoC પાર IAFની મોટી કાર્યવાહી, 12 મિરાજ વિમાનોએ તબાહ કર્યા જૈશના કૈપ, 200 ના મોત - સૂત્ર
- Pokમાં આતંકીઓ પર મોટી કાર્યવાહી કરનાર લડાકૂ વિમાન મિરાજ 2000 ના વિશે જાણકારી Mirage2000
- IAF Air Strike in PoK Live Updatas: અબ કી બાર આસમાન સે વાર, PoK માં આતંકી કૈપો પર ભારતે વરસાવ્યા બોમ્બ
- અંજારમાં ટીનેજ છોકરાએ એનેસ્થેસિયા આપીને 13 વર્ષની છોકરી પર દુષ્કર્મ આચર્યું
- પ્રતિબંધ માટે સરકારી પરિપત્ર છતાંય ગાંધીનગરની કોલેજે વિદ્યાર્થીઓને PUBG ગેમ રમાડી
કચ્છ સરહદે પાકિસ્તાનનુ ડ્રોન ભારતીય સેનાએ તોડી પાડ્યુ
પુલવામામાં થયેલા આતંકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાના મિરાજ 2000 વિમાનોએ કરેલા હુમલા બાદ વાયુસેનાના તમામ એરબેઝને હાઈએલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે. ગુજરાતના જામનગર સહિતના તમામ એરબેઝ હાઈ એલર્ટ પર છે ત્યારે કચ્છ સરહદે પાક સેનાનુ એક ડ્રોન ભારતની સેનાએ તોડી પાડ્યુ હોવાના અહેવાલો મળી રહ્યા છે. એ પછી સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટ બની છે.વાયુસેનાની એક ટીમ પણ જે સ્થળે ડ્રોન તોડી પાડ્વામાં આવ્યુ છે ત્યાં તપાસ માટે પહોંચી હોવાનુ જાણવા મળ્યુ છે. કચ્છના તુંઘાતડ ગામ પાસે આ ડ્રોન જોવા મળ્યુ હતુ.એ પછી ભારતીય સેનાએ કાર્યવાહી કરીને તેને તોડી પાડ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે સોમનાથના દરિયા કિનારે પણ સુરક્ષાને લઈને સવાલો ઉઠવા પામ્યા હતાં.
