શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 20 ઑગસ્ટ 2019 (12:30 IST)

ગાંધીધામમાં ધો.૧૦-૧૨માં ભણતાં કિશોર-કિશોરીનો માલગાડી નીચે સજોડે પડતું મુકી આપઘાત

કચ્છના ગાંધીધામમાં અભ્યાસ કરતા કિશોર-કિશોરીએ સોમવારે બપોરે માલગાડી નીચે સજોડે પડતું મુકી આપઘાત કરી લેતાં અરેરાટી છવાઈ ગઈ છે. ખોડીયારનગર ગોપાલપુરી ઝુંપડપટ્ટી પાછળ ફાટક નજીક બપોરે એકાદ વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો.  આ ઘટના અંગે જાણ થતાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસે સ્થળ પર દોડી જઈ બેઉ કિશોર-કિશોરીના મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યાં હતા. મૃતક કિશોર પાસેથી મળેલાં આઈકાર્ડમાં તેનું નામ અશોક મોહનસિંગ રાજપુરોહિત અને તે આનંદમાર્ગ હાઈસ્કુલમાં ધોરણ 10માં ભણતો હોવાનું બહાર આવ્યું છે. જ્યારે, મૃતક કિશોરી પાસેથી ગાંધીધામી પી.એન.અમરશી હાઈસ્કુલનું ધોરણ-12નું ઓળખપત્ર મળી આવ્યું છે. જેમાં તેનું નામ અંજલિ સવર્ણસિંગ રાજપુરોહિત લખાયેલું છે. પોલીસે ઓળખપત્રના આધારે બેઉનાં વાલીવારસોને જાણ કરી ઓળખ નિશ્ચિત કરવા સાથે આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.