શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. કોરોના વાયરસ
Written By
Last Modified: રવિવાર, 18 એપ્રિલ 2021 (08:47 IST)

ગુજરાતમાં કોરોનાનો હાહાકાર, રોજના મોતનો આંકડો 100ની નિકટ

ગુજરાતમાં કોરોના હવે હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 9 હજારને પાર થયો છે અને ઓલટાઈમ હાઈ નવા કેસ નોધાયા છે. દિવસે ને દિવસે નવા રેકોર્ડ સ્થાપિત થતા જાય છે. દરરોજ કોરોના સંક્રમિતોનો આંકડો નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. શુક્રવારે કોરોનાના કેસ 8920 નોધાયા હતા. જ્યારેશનિવારે   તમામ રેકોર્ડ તોડતાં કોવિડ 19ના 9541 કેસ નોંધાતા તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. એક તરફ પુરજોશમાં સતત રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે છતા કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના બેકાબૂ બન્યો છે. 
 
અત્યાર સુધીમાં 88,08,994 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 13,61,550 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચુકી છે. આ પ્રકારે કુલ 1,01,70,544 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 87,932 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 56,047 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઇ ગંભીર આડઅસર જોવા મળી નથી. 
 
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 55,398  એક્ટિવ દર્દી છે, જે પૈકી 304 લોકો વેન્ટિલેટર પર છે અને 55,094 લોકો સ્ટેબલ છે. 3,33,564 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 5267 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે 97 લોકોનાં દુખદ નિધન થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનના 25, સુરત કોર્પોરેશન 26, રાજકોટ કોર્પોરેશન 8, વડોદરા કોર્પોરેશન 7, જામનગર કોર્પોરેશન 2, ભાવનગર કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 1, સુરેંદ્રનગર 6, મોરબી 3, બનાસકાંઠા 2, ભાવનગર 2, જામનગર 2, મહેસાણા 2, રાજકોટ 2, ભરૂચ 1, બોટાદ 1, ડાંગ 1, મહીસાગર 1, પંચમહાલ 1, સાબરકાંઠા 1, વડોદરા 1 એમ આ સાથે કુલ 97 લોકોનાં મોત નિપજ્યાં છે.