ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 6 મે 2023 (15:06 IST)

12 લોકો સાથે છકડો પુલથી નીચે ખાબક્યો

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડના ઈન્દ્રેશ્વર મંદિર નજીક એક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે જયારે 9 લોકો ઈજાગ્રસ્ત થયા છે, જામજોધપુરના ધ્રાફા ગામેથી ભાણવડ તાલુકાના જામ રોજીવાળા ગામે છકડા રિક્ષામાં જતા સમયે ભાણવડ-ખંભાળીયા હાઇવે રોડ ઉપર આવેલ ઈન્દ્રેશ્વર મહાદેવ મંદિર નજીક રોજીવાળા પાસેની નદી પરના બ્રિજ પરથી અચાનક જ છકડોરિક્ષા પુલની દીવાલ તોડી ધડામ કરતી 25 ફૂટ નીચે પડી હતી. છકડોરિક્ષા પુલ પરથી નીચે ખબકતા રોડ મોતની ચીચીયારીઓથી ગૂંજી ઉઠ્યો હતો. અકસ્માતમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા અને 8 જેટલા પેસેન્જરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.
 
ભાણવડ તાલુકાના જામ રોજીવાળા પાસેના અકસ્માતમાં તમામ ઈજાગ્રસ્તોને 108ની મારફતે જામનગર તથા ખંભાળિયા રિફર કરવામાં આવ્યા છે. તો ઘટનાની જાણ થતાં જ ઈજાગ્રસ્તોના પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. ત્યારે ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલીક હોસ્પિટલ ખાતે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.