શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: રવિવાર, 27 નવેમ્બર 2022 (21:42 IST)

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં ફૂટઓવરબ્રિજ પડ્યો, સાતને ઈજા

મહારાષ્ટ્રના ચંદ્રપુરમાં રેલવેસ્ટેશન પરનો એક ફૂટઓવરબ્રિજ તૂટી પડ્યો હોવાની દુર્ઘટના ઘટી છે. જેમાં સાત લોકો ઈજાગ્રસ્ત થયા છે.
 
બલ્લારશાહ રેલવેસ્ટેશન પરના એક અધિકારીએ બીબીસીને ફોન પર જણાવ્યું હતું કે આ ઘટનામાં 13 મુસાફરો ફુટઓવરબ્રિજથી પાટા પર ખાબક્યા હતા અને એમાંથી સાત લોકોને ઈજા પહોંચી છે.
 
રેલવે પ્રોટેક્શન ફૉર્સના અધિકારીઓના જણાવ્યા અનુસાર છ ઈજાગ્રસ્તોને ચંદ્રપુર સ્ટીલ હૉસ્પિટલ લઈ જવાયા છે. આ દુર્ઘટના રવિવાર સાંજે 4:45 વાગ્યે ઘટી હતી.
 
જ્યારે આ દુર્ઘટના ઘટી ત્યારે મુસાફરો પ્લૅટફૉર્મ નંબર 1થી 4 તરફ જઈ રહ્યા હતા.