ગાંધીજીની 'સેક્સ લાઈફ' અને બ્રહ્મચર્યના પ્રયોગો
:
તાજેતરમાં જ એક લેખક બ્રોડકાસ્ટર જૈડ એડમ્સે ગાંધીજીની સેક્સ લાઈફ વિશે સાચી માહિતી આપવાની વાત પોતાના નવા પુસ્તકમાં કહી છે. તેમનો દાવો છે કે પુસ્તક લખતા પહેલા તેમને ગાંધીજીના જીવન પર લખેલ બધા મહત્વપૂર્ણ પુસ્તકો વાંચ્યા છે અને ત્યારબાદ જ કોઈ વાત લખવામાં આવી છે. પુસ્તકમાં નગ્ન યુવતીઓની સાથે સૂવાની ગાંધીજીની ટેવને લક્ષ્ય બનાવીને કહેવામાં આવ્યુ છે કે મોહનદાસ ગાંધીનું સેક્સ જીવન ખૂબ જ અસાધારણ હતુ. તેઓ સેક્સ વિશે પોતાના અનુયાયીઓને વિસ્તૃત મહિતી આપતા જે મોટાભાગે ઉત્તેજક રહેતી હતી. સાથે જ તેઓ તેમને બતાવતા કે પવિત્રતાનુ પાલન કેવી રીતે કરી શકાય છે ? એક લાંબા સમય સુધી તેમનાથી પ્રભાવિત લોકોએ આ વાતનુ પાલન પણ કર્યુ, પણ જ્યારે લાગ્યુ કે આ વાતો પ્રકૃતિના વિરુદ્ધ છે ત્યારે તેમના 'સેક્સ પ્રયોગો'નો ખૂબ જ વિરોધ કરવામાં આવ્યો. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના બ્રહ્મચર્ય પ્રયોગને લઇને એક પત્રિકામાં પ્રસિદ્ધ થયેલ સમાચારને પગલે ગાંધીવાદી અને ગાંધીસંસ્થાઓ સાથે જોડાયેલા લોકો સ્તબ્ધ થઇ ગયા છે. કેમ કે ગાંધીજીની સાથે રહેનાર મનુબેને તેમની ડાયરીમાં ગાંધીજીએ બ્રહ્મચર્ય વ્રતની અગ્નિ પરીક્ષા માટે કોની-કોની સાથે સહશયન કર્યું તેનાં નામો જાહેર કરતાં ગાંધીજીના અનુયાયીઓમાં ભારે સનસનાટી મચી ગઇ છે.પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીજીની હત્યા બાદ તેમના નજીકના મનાતાં મનુબેન ગાંધી, આભા ગાંધી અને સુશીલા નૈયર સાથેના તેમના નિકટના સંબંધોને લઇને અલગ-અલગ વાતો બહાર આવતી હતી. પરંતુ મનુબેન ગાંધીએ આ તમામ પ્રયોગોની માહિતી જે ડાયરીમાં ટપકાવી હતી તે ડાયરીનાં પાનાં ખુલ્યાં છે. ગાંધીજીએ પોતાની આત્મકથા સત્યના પ્રયોગોમાં એ બાબતનો સ્વીકાર કર્યો હતો કે તેમણે મનુ અને આભા સાથે બ્રહ્મચર્યના પ્રયોગો કર્યા હતા. ગાંધીના અનુયાયીઓ પણ બાપુના બ્રહ્મચર્ય પ્રયોગની વાતને સ્વીકારે છે પરંતુ ઇતિહાસમાં ઉલ્લેખ છે કે સરદાર વલ્લભભાઇ પટેલને આવા ખતરનાક પ્રયોગો નહી કરવા જણાવ્યું હતું. સરદાર પટેલ 25 જાન્યુઆરી 1947ના રોજ બાપુને એક પત્ર લખ્યો હતો જેમાં તેમણે તેમના પ્રયોગોને ભયંકર ભૂલ દર્શાવી તેને રોકવા જણાવ્યું હતું. તેમણે લખ્યું હતું કે આવા પ્રયોગોથી તેમના અનુયાયીઓમાં ઊંડી વેદના થાય છે. એટલું જ નહીં પરંતુ તેઓ પોતે પણ અપમાનરૂપી અગ્નિકુંડમાં સળગવા સમાન લાગણી અનુભવે છે. પરંતુ ગાંધીજીએ કહેવાય છે કે એ પ્રયોગો ચાલુ રાખ્યા હતા.ગાંધીજીને બ્રહ્મચર્ય પ્રયોગમાં સાથ આપનાર મનુબેન ગાંધીએ એક ડાયરીમાં આ તમામ બાબતો ટપકાવી હતી. મનુબેનની ડાયરીમાં કરાયેલ ઉલ્લેખ અનુસાર બાપુએ સત્ય, અહિંસાની સાથેસાથે બ્રહ્મચર્ય પાલનની શિખામણ આપતાં આ વ્રત અપનાવી લીધું હોવાનું કહ્યું હતું. ડાયરી અનુસાર આ વ્રત પ્રયોગ દરમિયાન ગાંધીજીએ મનુ, આભા, સુશિલા નૈયર, બીબી અમ્તુસ્સલામ, વિણા, કંચન, લીલાવતી અને મીરા સાથે બ્રહ્મચર્ય પ્રયોગો અજમાવ્યા હતા. જો કે તેમનો આ પ્રયોગ કેટલાકને ગમ્યો નહોતો. સરદાર પટેલ ઉપરાંત ગોપાલકૃષ્ણ ગોખલે, દેવદાસ ગાંધી વગેરેએ નારાજગી વ્યક્ત કરી હતી. મનુબેનની ડાયરી જણાવે છે કે ગાંધીજીને એ બાબતની જાણ હતી કે મનુબેન આ તમામ પ્રયોગોને ડાયરીમાં ટપકાવી રહ્યાં છે. તેમણે આ ડાયરીને કાળજીપૂર્વક રાખવાની સલાહ પણ આપી હતી અને ત્યારબાદ પોતાના અંગત મદદનીશ પ્યારેલાલને તેની ભાષા અને તથ્ય સુધારવા સૂચન કર્યુ હતું. એક વખત પ્રાર્થનાસભામાં ખુદ ગાંધીજીએ મનુ અને આભા સાથેના પોતાના બ્રહ્મચર્ય પ્રયોગની જાણકારી આપી હતી. મનુબેને ડાયરીમાં લખ્યું છે કે દુનિયાને જે કહેવું હોય તે કહે તેઓ બાપુને પોતાની મા સમાન માને છે. આ ડાયરી પ્રકરણ એક પત્રિકામાં પ્રસિદ્ધ થતાં ભારે હોબાળો મચી ગયો છે કે જો કે ભાજપના રાજકીય ડખાની વચ્ચે આ સમગ્ર પ્રકરણ અખબારોમાં દબાઇ ગયું છે.