શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 13 જૂન 2020 (19:32 IST)

ઘોઘા દહેજ ફેરી સર્વિસ હવે રાજય પાસેથી કેન્દ્ર સ૨કા૨ લઈ લેશે

ગુજરાતમાં ધામધુમ સાથે શરૂ કરાયેલા ઘોઘા દહેજ ફેરી સર્વિસ હવે રાજય પાસેથી કેન્દ્ર સ૨કા૨ લઈ લેશે. 2017 માં આ સેવાનો પ્રારંભ ક૨વામાં આવ્યો હતો. પરંતુ રાજય સ૨કા૨ તેને હેન્ડલ ક૨વામાં નિષ્ફળ ગઈ હતી અને વારંવા૨ આ રો-રો સેવાને અનેક પ્રશ્નો નડયા હતા. જેમાં સમુના પાણી સહિતની સમસ્યાઓ હતી અને આ સેવા ચાલુ ર્ક્યા બાદ બંધ ક૨વી પડી હતી પરંતુ હવે કંડલા પોર્ટ ટ્રસ્ટ આ સેવાને સંભાળી લેવા માટે તૈયારી કરી ૨હયું છે અને હજીરા ખાતે ખાસ જેટી તૈયા૨ ક૨વામાં આવશે અને તેના આધારે આ સર્વિસ ફરી ચાલુ થાય તે જોવાશે. 

કેન્દ્રના જહાજી બાબતોના મંત્રી મનસુખ માંડવીયા ગુજરાતના જ છે અને ગુજરાત મેરીટાઈમ બોર્ડ આ સેવા સંભાળવામાં સફળ ૨હયું નથી તે નિશ્ચિત થયું છે. આ સેવા ઈન્ડીગો સીવે પ્રા.લી. ને સોંપવામાં આવી હતી. પરંતુ તે સમગ્ર પ્રોજેકટને જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે ખાસ કરીને ડ્રેજીંગની સમસ્યા હતી અને તેના કા૨ણે જે નેવીગેશન ચેનલ છે તેને ફ્રી રાખવા અંદાજે 100  કરોડનો ખર્ચો થઈ શકે તેમ છે. પરંતુ હવે તે કેન્દ્ર સંભાળશે અને કંડલા પોર્ટ ટ્રસ્ટને તેની જવાબદારી સોંપી દેવાશે.