શુક્રવાર, 29 માર્ચ 2024
  1. મનોરંજન
  2. ટીવી
  3. ટીવી ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 15 નવેમ્બર 2018 (13:54 IST)

Taarak Mehta Ka Ooltah Chashmah- ના ભિડે માસ્ટર પર ગાજ પડશે, શું થઈ જશે બેરોજગાર

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા - Taarak Mehta Ka Ooltah Chashmahની ગોકુલધામ સોસાયટીના સેક્રેટરી અને ટ્યૂશન ટીચર ભીડે પર 
ગાજ પડશે. ટેક્નોલોજીની માર તેમના ટીચિંગ પર પડશે અને તેના કારણે તે બેરોજગાર પણ થઈ શકે છે. દીવાળી પછી ગોકુલધામ સોસાયટીમાં પહેલો દિવસ છે. સુવિચાર લખ્યું છે કે દરેકને પોતાને સારું બનાવવા માટે સતત કોશિશ કરતા રહેવું જોઈએ. દરેક કોઈએ પોતાને નવા શોદ અને ટેકનોલોજીથી અપડેટ રાખવું જોઈએ.. 
 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા માં દરેક મેસેજનો એક અર્થ હોય છે અને આ મેસેજ પણ વગર કારણે નથી. ભિડેની ટ્યૂશન ક્લાસ ચાલી રહી છે. પણ તેનો એક છાત્ર સમીર દરેક સમયે તેમના મોબાઈલ પર જ ચોંટયા રહે છે. આ કારણે તેના નંબર ખરાબ આવે છે. ભિડેના સમજાવ્યા પછી પણ સમીર તેની વાત નહી માનતો/ આખેર પરેશાન થઈ ભિડે તેમની ટ્યૂશન ફી પરત કરવા તેમના માતા-પિતા પાસે જાય છે તો તે પૈસા લેવાની ના પાડે છે. ભિડે હવે બહુ ચિંતિંત છે, તેને લાગે છે કે એક અધ્યાપકના રૂપમાં તે અસફળ રહ્યા છે. 
 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં ટપ્પૂ ભિડેને સમજાવે છે કે તે સમીરને મોબાઈલના સકારાત્મક પ્રયોગની તરફ શા માટે પ્રેરિત નહી કરતા? અભ્યાસ માટે ઘણા બધા એપ આવી ગયા છે અને સમીર તેમાંથી કોઈનો પણ ઉપયોગ કરીને તેના ગ્રેડસ ઠીક કરી શકે છે. શું કરશે ભિડે..? શું એપના આવવાથી ભિડેની ટયૂશન કલાસ પર અસર થશે? જો સાચે છાત્ર એપનો સહારા લેશે તો ભિડેનો શું થશે... જાણો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા .. માં