ભગવાન જગન્નાથની રથયાત્રા જુઓ તસ્વીરોમાં
આજે અષાઢી બીજ એટલે કે એ દિવસ જ્યારે ભગવાન જગન્નાથ , સુભદ્રા અને બલરામજીની સાથે નગર ચર્યા કરવા નીકળે છે. અમદાવાદમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે પહિંદ વિધિ બાદ રથયાત્રાને પ્રસ્થાન કરાવાયું હતું.
14
કિલોમીટર લાંબી રથયાત્રાના રૂટમાં લાખ્ખોની સંખ્યામાં ભક્તો જોડાઇ રહ્યા છે. રથયાત્રાની આગેવાની 18 ગજરાજો કરી રહ્યા છે, આ 18 ગજરાજોમાં 17 હાથણી અને 1 માત્ર હાથી છે. ગજરાજોને પણ વિશેષ રીતે શણગારવામાં આવ્યા છે.