બુધવાર, 8 એપ્રિલ 2026
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
જ્યોતિષશાસ્ત્ર
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:04 IST)
સંબંધિત સમાચાર
સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?
કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત
આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?
ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
વધતું જઈ રહ્યું છે વજન ? તો ડેલી રૂટિનમાં શું કરવું જોઈએ, જેનાથી કંટ્રોલ થવા માંડશે વજન
How to control obesity: શું તમારું વજન સતત વધી રહ્યું છે? જો એમ હોય, તો તમારે તમારી દિનચર્યામાં કેટલીક પ્રવૃત્તિઓનો સમાવેશ કરવો જોઈએ.
Babasaheb Ambedkar- ડો બાબાસાહેબ આંબેડકર નિબંધ
14 એપ્રિલ 1891માં મહુમાં સૂબેદાર રામજી શંકપાલ અને ભીમાબાઈની ચૌદમી સંતાનના રૂપમાં ડો,ભીમરાવ આંબેડકરનો જન્મ થયો. તેમના વ્યક્તિત્વમાં સ્મરણ શક્તિની પ્રખરતા, બુધ્ધિમાન, ઈમાનદારી, સત્યતા, નિયમિતતા, દ્રઢતા, પ્રચંડ સંગ્રામી સ્વભાવનો મણિકાંચન મેળ હતો
બપોરના ભોજનમાં ઝડપથી ક્રિસ્પી લસણના ભુજિયા બનાવો, તેને મકાઈની રોટલી સાથે પીરસો
જો તમે કંઈક નવું અજમાવવા માંગતા હો, તો આ લસણની કરી તમારા માટે યોગ્ય પસંદગી હોઈ શકે છે. તે તૈયાર કરવામાં અતિ સરળ છે અને પરાઠા સાથે પીરસી શકાય છે.
શરીર પરનાં સોજા ને કંટ્રોલ કરે છે આ Anti-Inflammatory Foods, જાણો દાયેતમાં સામેલ કરવાથી કયા ફાયદા થશે ?
કેટલાક ખોરાકમાં કુદરતી ગુણધર્મો હોય છે જે શરીરમાં બળતરા ઘટાડવામાં મદદ કરે છે. ચાલો કેટલાક અસરકારક બળતરા વિરોધી ખોરાક વિશે જાણીએ.
Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા
Chanakya Niti:ચાણક્ય નીતિ અનુસાર, કેટલીક બાબતોને અવગણવાથી વ્યક્તિ બરબાદ થઈ શકે છે. આ બાબતો તમને સફળ અને સામાજિક બનાવે છે, જ્યારે તેમને અવગણવાથી સમસ્યાઓ ઊભી થાય છે. આજે, અમે તેમના વિશે માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.
વીડિયો
Watch More Videos
નવીનતમ
ગુજરાતી જોક્સ - ચા બનાવો
પતિ- આજે એવી ચા બનાવો કે પીતા ની
'તારક મેહતા...' ફેમ દિશા વાકાણીના પિતા અને પ્રસિદ્ધ નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન
ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી દિશા વાકાણી (દયાબેન) અને મયુર વાકાણી (સુંદલાલ)ના પિતા તેમજ જાણીતા નાટ્યકાર ભીમ વાકાણીનું 84 વર્ષની વયે નિધન થયું છે.
ગુજરાતી જોક્સ - આંગળીની કીમત
વકીલ: તમારી આંગળી ટ્રેનના દરવાજાથી કચડી ગઈ અને તમે રેલવે પાસેથી પચાસ હજાર રૂપિયાનું નુકસાની માંગવા માંગો છો...?
ગુજરાતી જોક્સ - ટ્રેનમાં પંચર
ત્રણ મૂર્ખ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે અચાનક કોઈએ ચેઈન ખેંચી. ટ્રેન ઉભી રહી ત્યારે પહેલા મૂર્ખે કહ્યું, "દોસ્ત, ટ્રેનમાં પંચર લાગે છે."
ગુજરાતી જોક્સ - મારા જેવા દેખાય છે
બાળકના પિતા તેને ઉપાડીને કહે છે, "મારા દીકરાનો ચહેરો મારા જેવો દેખાય છે." માતા તેને પ્રેમથી જુએ છે અને કહે છે, "તેની આંખો મારી આંખો જેવી લાગે છે."
ધર્મ
Aaj nu panchang- આજનુ પંચાગ - 8 એપ્રિલ
સૂર્યોદય - 06:15 AM સૂર્યાસ્ત - 06:44 PM એપ્રિલ8, 2026 બુધવાર ચૈત્ર વદ છઠ - વિક્રમ સંવત 2082 આજ ની રાશિ -વૃશ્ચિક
Garud Puran Niyam: મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી? પરિવારના સભ્યોએ જરૂર જાણવું જોઈએ આનું કારણ, જાણો શું કહે છે ગરુડ પુરાણ
Sutak Na Niyam: હિન્દુ ધર્મમાં, મૃત્યુ પછી ચૂલો ન પ્રગટાવવાની પરંપરા સદીઓ જૂની છે. તેનો હેતુ આત્માની શાંતિ અને પરિવારના શોકને સુનિશ્ચિત કરવાનો છે. આ પાછળ ઘણા ધાર્મિક, સામાજિક અને વ્યવહારિક કારણો છે, જે સમજવા મહત્વપૂર્ણ છે. જાણો મૃત્યુ પછી ચૂલો કેમ પ્રગટાવવામાં આવતો નથી.
Chanakya Niti: ચાણક્ય નીતિ મુજબ આ 3 વસ્તુઓને નજર અંદાજ કરશો તો બનશે બરબાદીનું કારણ, તેના વગર નથી મળતી સાચી સફળતા
Chanakya Niti:ચાણક્ય નીતિ અનુસાર, કેટલીક બાબતોને અવગણવાથી વ્યક્તિ બરબાદ થઈ શકે છે. આ બાબતો તમને સફળ અને સામાજિક બનાવે છે, જ્યારે તેમને અવગણવાથી સમસ્યાઓ ઊભી થાય છે. આજે, અમે તેમના વિશે માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ.
પોહેલા વૈશાખનો તહેવાર ક્યાં ઉજવવામાં આવે છે, આ દિવસની વિશેષતા શું છે?
પોહેલા વૈશાખ, જેને પોહેલા બોશાખ પણ કહેવાય છે, તે બંગાળી નવું વર્ષ છે. આ તહેવાર બંગાળી સમુદાય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ઉજવવામાં આવે છે.
Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ
આજનુ પંચાગ - 7 એપ્રિલ સૂર્યોદય - 06:16 સૂર્યાસ્ત - 06:44 એપ્રિલ 7, 2026 મંગળવાર ચૈત્ર વદ પાંચમ - વિક્રમ સંવત 2082