મંગળવાર, 28 ઑક્ટોબર 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વિક્રમ સંવત રાશિફળ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
વીડિયો
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:04 IST)
સંબંધિત સમાચાર
સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?
કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત
આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?
ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
શું સફેદ મીઠું ખાવાથી તમારી કિડનીને નુકસાન થાય છે? જાણો શું કહે છે સાયન્સ
નિષ્ણાતો કિડનીને નુકસાન થતું અટકાવવા માટે તમારા આહારમાં મીઠું ઓછું કરવાની ભલામણ કરે છે. પરંતુ શું સફેદ મીઠું ખાવાથી પણ તમારી કિડનીને નુકસાન થાય છે? ચાલો ડૉક્ટર પાસેથી જાણીએ.
Thekua Recipe છઠ પૂજા દરમિયાન સોજીથી બનાવો ક્રિસ્પી ઠેકુઆ, બધા રેસીપી પૂછશે
Thekua Recipe છઠ પૂજા દરમિયાન સોજીથી બનાવો ક્રિસ્પી ઠેકુઆ, બધા રેસીપી પૂછશે
સવારે ખાલી પેટ પાણીમાં આ વસ્તુઓ મિક્સ કરીને પી જાવ, કંટ્રોલમાં રહેશે Sugar અને આરોગ્યને મળશે અનેક લાભ
How To Control Sugar: શું તમે પણ તમારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માંગો છો? જો એમ હોય, તો થોડા ઘટકો સાથે મિશ્રિત પાણી પીવાનું શરૂ કરો અને તેની સકારાત્મક અસરો જુઓ.
Chhath puja mehandi- છઠ પૂજા પર સોળ શણગાર કરો, તમારા હાથ પર આ પરંપરાગત અને ટ્રેન્ડી મહેંદી ડિઝાઇન લગાવો
દેશભરમાં છઠ પૂજા ખૂબ જ ભક્તિ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે છઠ 25 ઓક્ટોબરથી શરૂ થાય છે. છઠની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ સમય દરમિયાન લોકો સૂર્ય દેવ અને છઠી મૈયાની પૂજા કરે છે અને ઉપવાસ રાખે છે. મહિલાઓ સોળ શણગારથી શણગારે છે અને છઠી મૈયાની ભક્તિમાં વ્યસ્ત રહે છે.
Cloud Seeding In Dehli : કેવી રીતે કરવામાં આવે છે કુત્રિમ વરસાદ, વાદળોમાં કેવી રીતે ભરાય છે પાણી ? જાણો કેટલો આવે છે ખર્ચ
Cloud Seeding: દિલ્હીમાં થોડા દિવસો પછી આર્ટીફીસીયલ વરસાદ કરી શકાય છે, આવી સ્થિતિમાં લોકોને સૌથી વધુ રસ એ જાણવામાં હોય છે કે તે કેવી રીતે થાય છે અને વાદળો કેવી રીતે વરસાદ વરસાવે છે.
વીડિયો
Watch More Videos
નવીનતમ
ગુજરાતી જોક્સ - લગ્ન કરી શકું
છોકરો: શું હું તમારી દીકરી સાથે લગ્ન કરી શકું? છોકરીનો પિતા: તમે શું કરો છો?
સારાભાઈ વર્સેસ સારાભાઈ ફેમ ગુજરાતી કલાકાર સતીશ શાહનુ નિધન, 74 વર્ષની વયમાં દુનિયાને કહ્યુ અલવિદા
જાણીતા અભિનેત્રી સતીશ શાહનુ આજે એટલે કે 25 ઓક્ટોબરે નિધન થઈ ગયુ. 74 વર્ષની વયમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. ડાયરેક્ટર અશોક પંડિતે સતીશ શાહના નિધનની ચોખવટ કરી છે.
ગુજરાતી જોક્સ - હરિ મરચા આપો
મને હરિ મરચા આપો. સ્ત્રી: શેઠ જી મને લાલ મરચા આપો. શેઠ (નજીકમાં ઉભેલા નોકરને): હરિ મરચા આપો.
બોલિવૂડને વધુ એક મોટો ફટકો, એક્ટર સિંગર ઋષભ ટંડનvહાર્ટ એટેકનો હુમલોનું મોત
દિગ્ગજ અભિનેતા અસરાનીના નિધન પછી, ગાયક અને અભિનેતા ઋષભ ટંડનનું અવસાન થયું છે, જેનાથી ફિલ્મ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. દિવાળીના બે દિવસ પછી જ તેમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. તેઓ તેમની પત્ની અને પરિવાર પાછળ છોડી ગયા છે.
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે ફેંસ ને આપી ભેટ, દિવાળી પર શેયર કરી પુત્રી દુઆની પહેલી તસ્વીર
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આ દિવાળી પર તેમની પુત્રી દુઆ પાદુકોણ સિંહનો પહેલો ફોટો શેર કર્યો. દુઆ દીપિકા પાદુકોણ સાથે પૂજા કરતી જોવા મળી હતી, અને તેના માસૂમ સ્મિતે ફેંસના દિલ જીતી લીધા હતા. આ ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી.
ધર્મ
Dev Uthani Ekadashi 2025 Date: પ્રબોધિની એકાદશી ક્યારે છે 1 કે 2 નવેમ્બર ? જાણી લો એકાદશીનુ શુભ મુહૂર્ત અને પૂજા વિધિ અને કથા
Dev Uthani Ekadashi 2025: દેવ ઉઠી અગિયારસ નો તહેવાર કારતક મહિનાની શુકલ પક્ષની એકાદશી ઉજવાય છે. તેને દેવોત્થાન કે પ્રબોધિની એકાદશી પણ કહેવામાં આવે છે. દેવઉઠની એકાદશીનો તહેવાર કાર્તિક મહિનાના શુક્લ પક્ષ (શુષ્ક પખવાડિયા) ની એકાદશી પર ઉજવવામાં આવે છે. તેને દેવઉઠ્થાન અથવા પ્રબોધિની એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. સનાતન ધર્મમાં આ એકાદશીનું વિશેષ મહત્વ છે. આ વર્ષે આ એકાદશી ક્યારે ઉજવવામાં આવશે આવો જાણીએ.
Vivah Muhurt 2025: દેવઉઠી અગિયારસ થી શરૂ થશે લગ્નની મોસમ, જાણો 2025 ના છેલ્લા 2 મહિનામાં લગ્ન માટે શુભ તારીખો
Vivah Muhurt 2025: કાર્તિક મહિનાની એકાદશી તિથિને દેવઉઠી અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે લગ્ન, માથા કાપવા અને અન્ય વિધિઓ જેવા શુભ પ્રસંગો શરૂ થાય છે. આ વર્ષે, દેવઉઠી અગિયારસ 1 નવેમ્બરના રોજ આવે છે. તો, ચાલો નવેમ્બર અને ડિસેમ્બર માટે લગ્નની શુભ તારીખો શોધીએ.
Labh Panchami 2025: આજે લાભ પાંચમનાં દિવસે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવાના કરો આ સહેલા ઉપાયો, તમારૂ ખિસ્સું હંમેશા રૂપિયાથી ભરેલું રહેશે
Labh Panchami 2025: દિવાળીના તહેવાર દરમિયાન લાભ પંચમીને ખૂબ જ વિશેષ અને શુભ દિવસ માનવામાં આવે છે. તેને સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી અથવા લાભ પંચમ તરીકે પણ ઓળખવામાં આવે છે. લાભ એટલે લાભ અથવા લાભ અને સૌભાગ્ય એટલે સૌભાગ્ય.
Labh Panchami Upay: તમારો ધંધો ઠપ થઈ ગયો છે કે ઘરમાં પૈસા ટકતા નથી તો લાભ પાંચમનાં દિવસે કરો આ ઉપાય
દિવાળીના તહેવાર પછી તરત જ આવતી કાર્તિક શુક્લ પંચમીને લાભ પંચમી અથવા સૌભાગ્ય પંચમી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉદ્યોગપતિઓ માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે
Labh pancham- લક્ષ્મી પંચમી પર અપાર ધન પ્રાપ્તિ માટે કરો આ ઉપાય
Lakshmi Pancham 2024 Upay- એવું માનવામાં આવે છે કે લક્ષ્મી પંચમી પર દેવી લક્ષ્મીની પૂજા કરવાથી ઘરની આર્થિક સ્થિતિ મજબૂત બને છે અને ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી આવતી.