બુધવાર, 11 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:04 IST)
સંબંધિત સમાચાર
સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?
કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત
આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?
ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
પ્રકૃતિમાં બેસીને યોગ અને ધ્યાન કરો, તમે 60 વર્ષની ઉંમર સુધી સ્વસ્થ રહેશો
યોગ કરવાથી માત્ર શારીરિક ચપળતા જ નહીં, પણ માનસિક શાંતિ પણ મળે છે. પરંતુ, શું તમે જાણો છો કે જો તમે કુદરતના ખુલ્લા વાતાવરણમાં યોગ કરો છો, તો તેના ફાયદા અનેકગણા વધી શકે છે? હા, તાજી હવા, ખુલ્લી જગ્યા અને કુદરતી સૂર્યપ્રકાશમાં યોગ અને ધ્યાન કરવાથી તમે 60 વર્ષની ઉંમર સુધી પણ રોગોથી દૂર રહી શકો છો.
French Fries- ક્રિસ્પી ફ્રેન્ચ ફ્રાઈસ નથી બનાવી શકતા? આ કરો.. સ્ટોર કર્યા પછી પણ તે સ્વાદિષ્ટ રહેશે.
ઘરે ફ્રેન્ચ ફ્રાઈસ બનાવવાનો પ્રયાસ કરીએ ત્યારે શું થાય છે? ઘણીવાર ફ્રાઈસ કાં તો ખૂબ તેલયુક્ત અથવા નરમ થઈ જાય છે અને જો તમે થોડા સમય પછી ફરીથી ખાવા જાઓ છો, તો તે વધુ નરમ અને સ્વાદહીન લાગે છે.
શું કઠોળ ખાવાથી યુરિક એસિડ વધે છે? જાણો યુરિક એસિડમાં કઈ વસ્તુઓ ટાળવી જોઈએ?
Pulses In Uric Acid: શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધવું ખૂબ જ ખતરનાક બની શકે છે. જ્યારે યુરિક એસિડ વધારે હોય છે, ત્યારે ચાલવું મુશ્કેલ બની જાય છે. આ માટે આહાર ખૂબ જ જવાબદાર માનવામાં આવે છે. જાણો શું કઠોળ ખાવાથી યુરિક એસિડ વધે છે?
ચલ રે માટલા ટમક ટમક ટુ
એક ગામમાં એક વૃદ્ધ સ્ત્રી લાકડી પર ટેકીને ચાલતી હતી, તેની પાસે ઘણી સંપત્તિ હતી, તેણીને તેના સાસરિયાના ઘરે જવાનું હતું, જે પાસના ગામમાં હતુ. એ ગામમાં જવા માટે એક જંગલમાંથી પસાર થવું પડતું હતું. માજી જંગલમાંથી જઈ રહ્યાં હતાં ત્યારે એક સિંહ આવ્યો અને માજી ને કહેવા લાગ્યો કે એ ઘણો જ ભૂખ્યો છે એટલે તેને ખાઈ જશે. માજી ઘણા ચતુર હતા. તેમણે સિંહને મૂરખ બનાવવાનો રસ્તો વિચાર્યો. માજીએ સિંહને
Tula Rashi Name Boy gujarati- તુલા રાશિ નામ છોકરા
ર પરથી નામ છોકરાના રાકેશ - રાતનો સ્વામી રાજ - જે ઘણા રહસ્યો રાખે છે રાધક - ઉદાર રાધાકાન્તા - ભગવાન કૃષ્ણ રાધાકૃષ્ણ - રાધા અને ભગવાન કૃષ્ણ રાધાકૃષ્ણન - રાધા અને ભગવાન કૃષ્ણ
વીડિયો
Watch More Videos
નવીનતમ
ગુજરાતી જોક્સ - કેન્ડલ લાઈટ ડિનર
એક આધુનિક છોકરી અને એક સિવિલ એન્જિનિયર છોકરો ડેટ પર ગયા હતા... છોકરાએ કેન્ડલ લાઈટ ડિનરની તૈયારી કરી હતી, અને વિચાર્યું હતું કે જો બધું બરાબર રહેશે, તો તે તેણીને પ્રપોઝ કરશે... ડેટ પર મળ્યાના થોડા સમય પછી... છોકરીએ શરમાતા પૂછ્યું - આ પ્રેમ શું છે...??? છોકરાએ વિચાર્યું કે આ પ્રભાવિત કરવાની તક છે... તેણે જવાબ આપ્યો - બે લોકો વચ્ચેના પ્રેમનો સંબંધ સિમેન્ટ અને રેતી વચ્ચેના પાણી જેવો જ છે, કલ્પના કરો...
ગુજરાતી જોક્સ - કેમ મુસાફરી કરી
ટીટી- આ વિકલાંગ લોકો માટેનો ડબ્બો છે, તમે તેમાં કેમ મુસાફરી કરી રહ્યા છો...? મુસાફર- હા સાહેબ, મારી પાસે આ છે. ટીસી- ઓહ, આ કેરી છે.
૧૫ વર્ષનો પ્રેમ કે પેન્શન?
છોકરો- સાહેબ, હું તમારી દીકરી સાથે ૧૫ વર્ષથી પ્રેમમાં છું. પિતા- હવે તમારે શું જોઈએ છે? છોકરો- લગ્ન. પિતા- ઓહ! મને લાગ્યું કે તમે પેન્શન માંગવા આવ્યા છો.
ગુજરાતી જોક્સ- શિલાંગ જવાની જીદ
પતિ- આજે સવારે પત્નીથી ઝગડો થઈ ગયો છે પત્ની સવારથી વાત નથી કરી રહી ના કઈક બોલી રહી છે ઝગડો પણ નથી કરે છે
ગુજરાતી જોક્સ - એમ્બ્યુલન્સ મંગાવ
ચિન્ટુની ગર્લફ્રેન્ડ અને પત્ની વચ્ચે ઝઘડો ચિન્ટુ તેની ગર્લફ્રેન્ડ સાથે હોટેલમાં ગયો. ગર્લફ્રેન્ડ- મારા માટે પીઝા અને તમારા માટે એમ્બ્યુલન્સ મંગાવ. ચિન્ટુ- એમ્બ્યુલન્સ કેમ? ગર્લફ્રેન્ડ- પાછળ જુઓ, તમારી પત્ની ત્યાં ઉભી છે.
ધર્મ
Vat Savitri Puja - વટ સાવિત્રી વ્રતની પૂજા કેવી રીતે કરશો તેની માહિતી..
Vat Savitri Vrat 2025 - હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે જેઠ મહિનાની પૂર્ણિમા તિથિના દિવસે વટ સાવિત્રીનુ વ્રત કરવામાં આવે છે. આ વર્ષે આ વ્રત 21 જૂન શુક્રવારે કરવામાં આવશે. આ દિવસે સુહાગન મહિલાઓ પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય સાથે સંતાનના ઉત્તમ ભવિષ્ય માટે વડના ઝાડની પૂજા કરે છે
Vat Savitri Vrat Katha - વટ સાવિત્રી વ્રત કથા (વ્રત કથા વીડિયો સાંભળો)
રાજા અશ્વપતિએ પત્ની સાથે સાવિત્રી દેવીની આરાધના કરીને સર્વગુણ સંપન્નવાળી પુત્રીનું મેળવવાનું વરદાન પ્રાપ્ત કર્યુ. પછી સર્વગુણ સંપન્ન દેવી સાવિત્રીએ જ અશ્વપતિના ઘરે કન્યાના રુપમાં જન્મ લીધો.
Vat Savitri Vrat 2025: વટ સાવિત્રી વ્રતના દિવસે વડના ઝાડ પર 7 વાર કાચા દોરાને કેમ બાંધવામાં આવે છે? જાણો તેનું મહત્વ
Vat Savitri Vrat 2025: જ્યેષ્ઠ અમાવસ્યા તિથિએ વટ સાવિત્રી વ્રત રાખવામાં આવે છે. આ દિવસે વટવૃક્ષની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે. તો ચાલો જાણીએ વટ સાવિત્રીના દિવસે વટવૃક્ષમાં યાર્ન વીંટાળવાનું શું મહત્વ છે.
Vat Savitri Vrat Wishes In Gujarati - વટ સાવિત્રી વ્રતની શુભેચ્છા
Happy Vat Savitri Vrat 2025 Wishes, Images, Quotes, Status, Messages: આખા દેશમાં 10 જૂનના રોજ વટ સાવિત્રી પૂર્ણિમાનુ વ્રત ઉજવાશે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિની લાંબી ઉમર માટે વટ સાવિત્રીનુ વ્રત કરે છે. આ વ્રત અખં સૌભાગ્યની પ્રાપ્તિ અને પતિની લાંબી ઉંનરની કામના માટે કરવામાં આવે છે.
Somvar Upay: સોમવારે જરૂર કરો આ ઉપાય, માં લક્ષ્મી ખુદ ચાલીને આવશે તમારે દ્વાર
હિન્દુ ધર્મમાં સોમવારને મહાદેવને સમર્પિત દિવસ માનવામાં આવે છે. આ દિવસે સેંકડો ભક્તો શિવ મંદિરમાં શિવલિંગ પર જળ ચઢાવે છે. આવી સ્થિતિમાં, આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી તમારા દુ:ખ દૂર થઈ શકે છે.