શુક્રવાર, 13 જૂન 2025
Choose your language
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
ગુજરાતી
Follow us
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
Trending
ગુજરાત સમાચાર
સમાચાર
રાષ્ટ્રીય
સ્થાનિક
બિઝનેસ
વીડિયો
સિનેજગત
રમત
જ્યોતિષ
ભવિષ્યવાણી
રાશિફળ
ટેરો ભવિષ્યવાણી
શ્રીરામ શલાકા
ચોઘડિયા
ધર્મ સંગ્રહ
ધર્મ
બોલીવુડ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
સમાચાર જગત
ગુજરાત સમાચાર
બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Updated :
શુક્રવાર, 29 નવેમ્બર 2019 (15:04 IST)
સંબંધિત સમાચાર
સુરત નજીક 3 લોકો ટ્રેનની અડફેટે આવતા બેનાં મોત, એક ગંભીર રીતે ઘાયલ
ગુજરાતમાં રવિવાર ગોઝારો સાબિત થયો, ચાર અકસ્માતમાં બેનાં મોત અને 25 ઘાયલ
શું ભારતનાં 132 ગામડાંમાં ખરેખર પુત્રીનો જન્મ જ નથી થયો?
કારગિલ યુદ્ધ : ગુમ થયેલું એ યાક પાકિસ્તાની સૈનિકો માટે બન્યું મુસીબત
આ યુવતી પિરિયડનું લોહી પોતાના ચહેરા પર શા માટે લગાવે છે?
ઉન્નાવ રેપકાંડની પીડિતાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉન્નાવ દુષ્કર્મ કેસ - ભાજપના ધારાસભ્ય પર બળાત્કારનો આરોપ લગાવનારી સગીરાની કારનો અકસ્માત, બેનાં મોત
ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં થયેલા એક અકસ્માતમાં ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા ગંભીર રીતે ઘાયલ થયાં છે. જેમાં તેમના બે સંબંધીઓનાં પણ મોત થયાં છે.
ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર પર અકસ્માતમાં ઘાયલ થયેલાં સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે.
ઉન્નાવ પોલીસના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રાયબરેલીના ગુરબખ્શગંજ વિસ્તારમાં થયો હતો.
ઉન્નાવના પોલીસ અધિકારી માધવેન્દ્ર પ્રસાદ વર્માએ બીબીસીને જણાવ્યું, "ઉન્નાવ બળાત્કાર મામલાનાં પીડિતા સહિત તેમના બે સંબંધીઓ અને એક વકીલ કારમાં જઈ રહ્યાં હતાં."
"આ કારનો એક ટ્રક સાથે અકસ્માત થયો હતો, જેમાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે કહ્યું, "અકસ્માતમાં બે મહિલાઓનાં મોત થયાં છે. એક પીડિતાનાં કાકી છે અને એક કાકીનાં બહેન છે. પીડિતા અને વકીલની હાલત ગંભીર છે."
"બંનેને લખનૌના ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યાં હતાં, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે."
પોલીસના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઇવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની બાદમાં ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ તેની પૂછપરછ કરી રહી છે.
રાયબરેલીના સ્થાનિક પત્રકાર અનુભવ સ્વરૂપ યાદવના જણાવ્યા પ્રમાણે જે ટ્રક સાથે પીડિતાની કારનો અકસ્માત થયો છે, તે ટ્રકની નંબર પ્લેટ સાથે પણ છેડછાડ કરવામાં આવી છે.
જ્યારે આ અંગે રાયબરેલીના પોલીસ અધિકારી સુનીલ સિંહે કહ્યું કે તેની ફૉરેન્સિક તપાસ ચાલી રહી છે.
ભાજપના ધારાસભ્ય પર છે બળાત્કારનો આરોપ
ઉન્નાવના બાંગરમઉથી ધારાસભ્ય અને ભાજપના નેતા કુલદીપસિંહ સેંગર આ કથિત બળાત્કારકાંડમાં હાલ જેલમાં છે.
કુલદીપ સેંગર પર તેમના ગામ માખીમાં ઘરની પાસે જ રહેતી એક સગીરા પર બળાત્કાર કરવાનો આરોપ છે. આ અકસ્માતમાં એ જ યુવતી ઘાયલ થઈ છે.
સીબીઆઈ આ કથિત બળાત્કારકાંડની તપાસ કરી રહી છે. ગયા વર્ષે એપ્રિલમાં ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી.
જૂન 2019માં ભાજપના સાંસદ સાક્ષી મહારાજે સીતાપુર જિલ્લાની જેલમાં બળાત્કારના આરોપી કુલદીપ સેંગર સાથે મુલાકાત કરી હતી. આ સમયે વિવાદ થયો હતો.
મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતા સાક્ષી મહારાજે કહ્યું હતું, "અમારે ત્યાંના ખૂબ જ યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય કુલદીપ સેંગર ઘણા દિવસોથી અહીં છે."
"ચૂંટણી બાદ તેમને ધન્યવાદ આપવાનું ઉચિત લાગ્યું એટલે અહીં તેમને મળવા આવ્યો હતો."
શું છે મામલો?
કુલદીપ સેંગર પર એક સગીરા પર કથિત રીતે જૂન 2017માં બળાત્કાર કરવાનો આરોપ લાગેલો છે.
પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે એક સંબંધી સાથે ધારાસભ્ય કુલદીપ સેંગરેના ઘરે તેઓ નોકરી માગવા ગયાં હતાં, ત્યારે સેંગરે તેમના પર બળાત્કાર કર્યો હતો.
આ મામલામાં એ વખતે પીડિતાની ફરિયાદ પોલીસે નોંધી ન હતી, જે બાદ સગીરાના પરિવારે કોર્ટનો સહારો લીધો હતો.
તેમનો આરોપ છે કે ધારાસભ્ય અને તેમના સાથી પોલીસમાં ફરિયાદ ન કરવા માટે દબાણ કરતા હતા. આ મામલે જ ધારાસભ્યના ભાઈએ ત્રણ એપ્રિલના રોજ તેમના પિતા સાથે મારપીટ કરી હતી.
જે બાદ કસ્ટડીમાં સગીરાના પિતાનું મોત થઈ ગયું હતું. સગીરાના પિતાનો મૃત્યુ પહેલાંનો એક વીડિયો વાઇરલ થયો હતો.
જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો કે ધારાસભ્યના ભાઈ અને કેટલાક અન્ય લોકોએ પોલીસની હાજરીમાં તેમની સાથે મારપીટ કરી હતી.
પોલીસની આ કથિત નિષ્ક્રિયતા અને ધારાસભ્યની કથિત દબંગાઈથી ત્રાસી જઈને પીડિતાએ મુખ્ય મંત્રી આવાસની બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ આ મામલો સમાચારોમાં ચમક્યો હતો.
કુલદીપ સેંગર વિરુદ્ધ ઉન્નાવના માખી પોલીસ સ્ટેશનમાં બળાત્કાર અને પૉક્સો ઍક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
જે બાદ આ કેસમાં સીબીઆઈ તપાસના આદેશ આપવામાં આવ્યા હતા અને સીબીઆઈએ જ કુલદીપ સેંગરની ધરપકડ કરી હતી.
આ મામલામાં થઈ રહેલા વિલંબ બાબતે અલાહાબાદ હાઈકોર્ટે પણ હસ્તક્ષેપ કર્યો હતો.
વેબદુનિયા પર વાંચો :
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
જરૂર વાંચો
જો તમે વિટામિન ડીની ઉણપને દૂર કરવા માંગતા હો, તો ઔષધીય ગુણોથી ભરપૂર આ જ્યુસ પીવો
શું તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપ છે? જો હા, તો તમે આમાંથી કોઈપણ પોષક તત્વોથી ભરપૂર રસને તમારા દૈનિક આહાર યોજનાનો ભાગ બનાવી શકો છો.
ઘરે મસાલેદાર મલાઈ મશરૂમ બનાવતી વખતે તમે ઢાબાનું શાક ભૂલી જશો, રેસીપી 20 મિનિટમાં તૈયાર કરો
મસાલા મલાઈ મશરૂમ બનાવવાની રેસીપી - સૌપ્રથમ, મશરૂમને નરમ સ્પોન્જથી હળવા હાથે ઘસીને સાફ કરો. તેને 2-3 વાર પાણીથી ધોઈ લો અને ટીશ્યુ પેપર પર મૂકીને સૂકવી લો. આ પછી, મશરૂમને અડધા ભાગમાં કાપીને રાખો. જો મશરૂમનું કદ મોટું હોય, તો તમે તેને 4 ભાગમાં વહેંચી શકો છો. હવે એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં કાપેલા ડુંગળી ઉમેરો અને ધીમા તાપે બ્રાઉન થાય ત્યાં સુધી તળો. જ્યારે ડુંગળી સારી રીતે તળાઈ જાય, ત્યારે ગેસ બંધ કરો અને ઠંડુ કરો.
ઓપરેશન સિંદૂર પર નિબંધ
Operation Sindoor- 2૨ એપ્રિલ ૨૦૨૫ ના રોજ, પહેલગામની શાંતિપૂર્ણ ખીણો ચીસો પાડી ઉઠી. આ તે દિવસ હતો જ્યારે માનવતાનું લોહી વહેવડાવવામાં આવ્યું હતું, લોકોને તેમના ધર્મ વિશે પૂછવામાં આવ્યું હતું અને તેમના કપડાં ઉતારવામાં આવ્યા હતા, અને તેમને કલમાનો પાઠ કરવાની ફરજ પાડવામાં આવી હતી. આ તારીખ કોઈ પણ ભારતીય ક્યારેય ભૂલી શકશે નહીં જ્યારે આ આતંકવાદીઓએ નિર્દોષ પ્રવાસીઓને
Diet For High BP: બ્લડ પ્રેશર વધવાના 12 લક્ષણ, BP વધે તો શું ખાવું જોઈએ ?
High Blood Pressure Symptoms: હાઈપરટેન્શનના બે સ્ટેજ હોય છે. બીજા સ્ટેજમાં, બ્લડ પ્રેશર ખૂબ જ વધી જાય છે. તેને નિયંત્રિત કરવા માટે, 10 દિવસ સુધી આ ડાયેટ લો.
Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર
આજના સમયમાં થાઈરોઈડની બીમારી ઝડપથી ફેલાય રહી છે. આ બીમારીમાં વજનને ઘટે જ છે સાથે જ હોર્મોન પણ ગડબડ થઈ જાય છે. આર્યુવેદનુ માનીએ તો થાઈરોઈડ થવાનુ કારણ પિત્ત અને કફ સાથે સંબંધિત છે. થાઈરોઈડ ગ્લેંડ આપણા શરીરમાં જોવા મળનારી સૌથી મોટી અંતસ્ત્રાવી ગ્રંથિયોમાંથી એક છે.
વીડિયો
Watch More Videos
નવીનતમ
Shillong tourist places- તળાવોના શહેર શિલોંગના આ સુંદર સ્થળો છે, તમારે પણ આ ઉનાળામાં મુલાકાત લેવાનો આનંદ માણવો જોઈએ.
સમુદ્ર સપાટીથી 1,491 મીટરની ઊંચાઈ પર સ્થિત શિલોંગ મેઘાલયની રાજધાની છે અને તે એક પ્રખ્યાત હિલ સ્ટેશન પણ છે. આ દેશનું પહેલું હિલ સ્ટેશન છે, જ્યાં ચારે બાજુથી પહોંચી શકાય છે. તમને જણાવી દઈએ કે, શિલોંગનું નામ દેવતા યુ-શિલોંગના નામ પરથી રાખવામાં આવ્યું હતું.
ગુજરાતી જોક્સ -
એક માણસ તેની પત્ની અને સાસુ સાથે શિકાર કરવા ગયો હતો. એ વિસ્તાર એવો હતો કે તેમને રાત્રે તંબુમાં રહેવું પડતું હતું.
ગુજરાતી જોક્સ - ગાંડી છોકરી સાથે લગ્ન
પત્ની - શું તમને ખબર છે કે મારો ભાઈ અને તમારો મિત્ર એક ગાંડી છોકરી સાથે લગ્ન કરવાના છે? પતિ - તો મારે શું કરવું જોઈએ? પત્ની - અરે!! તમે તેને રોકશો નહીં? પતિ - હું તેને કેમ રોકું? શું તે હરામખોરે મને રોક્યો..?
ગુજરાતી જોક્સ- લગ્ન
લગ્નમાં સૌથી મોટો દગો ત્યારે હોય છે જ્યારે ગાયની ફોટા દેખાડીને શેરની હાથમાં પકડાવી દેવાય છે
ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ
લોકોને એટલી હદે ત્રાસ આપ્યો છે કે જ્યારે કોઈ છોકરી મરીને સ્વર્ગમાં ગઈ, ત્યારે યમરાજે કહ્યું - દીકરી મને કહે તું ક્યાં જઈશ, નર્ક કે સ્વર્ગ. છોકરી -
ધર્મ
નરસિંહ મેહતાનુ ગુજરાતી ભજન - કાનજી તારી મા કહેશે પણ
કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે. એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે...
Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો
વિદુર નીતિ એક ઊંડો પાઠ શીખવે છે કે લગ્ન એ જીવનનો સૌથી મોટો નિર્ણય છે, તે લાગણીઓમાં ડૂબી જઈને ન લેવો જોઈએ. લગ્ન પહેલાં કેટલીક બાબતો જાણવી જરૂરી છે, જે પાછળથી સંબંધનો પાયો નક્કી કરે છે.
રામ રાખે તેમ રહીએ - ram rakhe tem rahiye
રામ રાખે તેમ રહીએ, ચાલો આજ પ્રભુ ભજનમા જઈએ આપણે ચિઠ્ઠીના ચાકર છઈએ, ચાલો પ્રભુ ભજનમા જઈએ
Gujarati Bhajan - દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે
દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે, એણે મને માયા લગાડી રે...
મારા ઘટ માં બિરાજતા - Mara Ghat Ma Birajta - Lyrics
મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી મારા ઘટ માં બિરાજતા શ્રી નાથજી યમુનાજી શ્રી મહાપ્રભુજી મારું મનડું છે ગોકુલ વનરાવન