સંબંધિત સમાચાર
- લોકડાઉનમાં છૂટછાટ મળતા લોકો ખરીદી કરવા નીકળ્યા, પાનના ગલ્લા પર ભીડ જામી
- Corona Updates- ભારતમાં કોરોનાનાં 101143 કેસ, 3163 લોકોનાં મોત.
- Lockdown 4 Guideline - સીએમ રૂપાણીનો પ્રજાજોગ સંદેશઃ લૉકડાઉન 4ના નવા નિયમો જાહેર કર્ચાં
- અમદાવાદમાં દેશનાં ઉત્તર પ્રદેશ સહિત ક્યાં પાંચ મોટાં રાજ્યો કરતાં પણ વધારે છે કેસ
- પરપ્રાંતિયોને સ્ક્રિનિંગ માટે લઇને જતી સિટી બસમાં આગ ફાટી નીકળી
મુખ્યપ્રધાનની જાહેરાત છતાં વડોદરામાં બસ સેવા બંધ, ડેપો પર પહોંચેલા લોકોમાં આક્રોશ
ગઈકાલે મુખ્યપ્રધાન રૂપાણીએ લૉકડાઉનમાં છૂટછાટો જાહેર કરી હતી. ત્યારે તેમાં બસ સેવા પણ ચાલુ કરવા તેમણે જાહેરાત કરી હતી. ત્યારે લૉકડાઉન 4.0માં એસ.ટી. બસ સેવા શરૂ કરી હોવા છતાં વડોદરા શહેરમાં સેન્ટ્રલ એસ.ટી. બસ ડેપો બંધ રહેતા લોકોને ધક્કા ખાવાનો વારો આવ્યો હતો. લોકો સવારમાં જ એસ.ટી. ડેપો પર બસ પકડવા માટે પહોંચી ગયા હતા પરંતુ બસ શરૂ ન થતાં લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીની જાહેરાત બાદ પણ બસ સેવા શરૂ થઇ નથી અને એસ.ટી. બસ ડેપો પર સિક્યુરિટી મુકી દેવામાં આવી છે. લોકોને ડેપોમાં પ્રવેશ ન કરે તેનું સિક્યુરિટી ધ્યાન રાખી રહી છે.
