સંબંધિત સમાચાર
- ગુજરાતમાં કુલ પોઝિટીવ દર્દીઓની સંખ્યા 2066 થઈ, કુલ 77 લોકોનાં મોત
- Corona India Updates- દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા 18,601 થઈ, અત્યાર સુધીમાં 590 લોકોની મોત થઈ છે
- કોરોના રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા, 125 પરિવારોને હવે ક્વોરેન્ટાઇન કરવું પડશે
- કોરોના: ચારધામ યાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત કેદારનાથ બદ્રીનાથ કપાટ ખોલવાની તારીખ, બદલાયા, હવે કપાટ 14 અને 15 મેના રોજ ખુલશે
- અમદાવાદના 125થી વધુ દર્દીઓમાં કોરોનાનું એક પણ લક્ષણ દેખાતું નથી
વડોદરામાં કુલ 193 પોઝિટિવ કેસ, આજથી રેપિડ કીટથી ટેસ્ટ થતાં રીપોર્ટ ઝડપથી આવશે
વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના કુલ 193 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ 9 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વડોદરામાં 400 જેટલી રેપિડ ટેસ્ટ કીટ આવી ગઇ છે. જેથી આજથી રેપિડ કીટથી કોરોના વાઈરસના ટેસ્ટ કરવામાં આવશે, રેપિડ કીટમાં 30 મિનિટમાં જ ટેસ્ટનું પરિણામ આવી જશે. જેથી ઝડપી નિદાન કરવામાં સફળતા મળશે. વડોદરા શહેરના 34 અર્બન હેલ્થ સેન્ટરો અને 6 ડેઝિગ્નેટેડ સેન્ટરો ઉપર આ ટેસ્ટ કરવામાં આવશે.
વડોદરા શહેરમાં કોરોનાએ 3 પોઝિટિવ કેસો સાથે રાજમહેલ રોડ પર પણ પોતાનું રાજ શરૂ કરી દીધું હતું. કબીર ફળિયામાં આવેલા તમામ 3 પોઝિટિવ દર્દીઓ સિનિયર સિટિઝન્સ છે, જેમાં 2 મહિલાનો સમાવેશ થાય છે. બીજી તરફ ગાજરાવાડીની મહિલા પોઝિટિવ જાહેર થઇ છે. આ મહિલા કેળા અને તડબૂચ વેચતી હતી.
જેના પગલે આ મહિલા પાસેથી ફળો ખરીદનારાઓના પેટમાં ફાળ પડી હતી અને પોતાને કોરોના ટેસ્ટ કરાવવા માટેની આરોગ્યવિભાગમાં પૂછપરછ કરી હતી. જ્યારે સૌથી વધુ સંક્રમિત અને રેડ ઝોન નાગરવાડામાં વધુ 8 કેસો ઉમેરાતા આ વિસ્તારના સંક્રમિતોની સંખ્યા 140 પર પહોંચી ગઇ હતી.
સમા વિસ્તારમાં કોરોનાનો પોઝિટિવ કેસ જાહેર થતાં અને પાલિકા દ્વારા ન્યૂ સમા રોડ વિસ્તારને રેડઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ફતેપુરા અને છાણીનો પણ રેડઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ન્યૂ સમારોડ વિસ્તારના રાંદલધામ-ગંગાસાગર સોસાયટી, છાણીના સેફ્રોન સીતારામ કોમ્પ્લેક્સનો રસ્તો રેડ ઝોનમાં આવરી લેવામાં આવ્યો છે.
આ ઉપરાંત ફતેપુરાના રાણાવાસને રેડઝોન તરીકે જાહેર કર્યો છે. આ રેડઝોનમાં લગભગ 3000 જેટલી વસ્તીનો સમાવેશ થશે. બીજી તરફ મંગળવારથી શહેરમાં વિવિધ દવાખાનાઓ અને ખાનગી હોસ્પિટલોને ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. જોકે આ અંગેની માર્ગદર્શિકાનું પાલન તેમને કરવાનું રહેશે.
