ગુરુવાર, 25 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 23 ઑગસ્ટ 2022 (10:13 IST)

પૂર્વ સ્ટાર ક્રિકેટર સનથ જયસુર્યા ગુજરાતની મુલાકાતે, શ્રીલંકાની કટોકટી અને મહાત્મા ગાંધી વિશે કહી આ વાત

Former Star Cricketer Sanath Jayasuriya
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાએ એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ અને બીસીસીઆઈના સચિવ જય શાહ સાથે મુલાકાત કરી અને શ્રીલંકામાં ક્રિકેટને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી. જયસૂર્યાએ સોશિયલ મીડિયા પર શાહ સાથેની એક તસવીર શેર કરી અને લખ્યું કે બીસીસીઆઇ સેક્રેટરીને મળવું તેમના માટે સન્માનની વાત છે. જયસૂર્યાએ જય શાહને ટૂંકી સૂચના પર મળવા માટે સંમત થવા બદલ આભાર પણ વ્યક્ત કર્યો હતો. તસવીરમાં તે અન્ય વ્યક્તિ સાથે જય શાહને સંભારણું સોંપી રહ્યો છે.
 
શ્રીલંકાની છબી હાલ વિશ્વ સ્તરે ઘણી ખરડાઈ છે. આ છબીને સુધારવા માટે પ્રવાસીઓની સંખ્યામાં વધારો થાય તે હેતુથી શ્રીલંકાનો પૂર્વ સ્ટાર ક્રિકેટર સનથ જયસુર્યા ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જયસૂર્યાએ પોતાના દેશની સ્થિતિ અંગે મીડિયા સાથે વાતચીત કરી હતી અને પ્રવાસ ઉદ્યોગને વેગ મળે તે માટે થઈ રહેલા પ્રયત્ને અંગે માહિતી આપી હતી.
 
જયસૂર્યાએ ટિ્‌વટર પર લખ્યું કે ભારતીય ક્રિકેટ બોર્ડના માનદ સચિવ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રમુખ જય શાહને મળવું સન્માન અને આનંદની વાત છે. આટલા ઓછા સમયમાં અમને મળવા માટે સંમત થવા બદલ તમારો આભાર સર. અમે શ્રીલંકામાં ક્રિકેટને લગતા કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી.
 
જયસૂર્યા હાલમાં ગુજરાતમાં છે, જ્યાં તેમણે મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત પણ લીધી હતી. એક ફોટોગ્રાફ શેર કર્યો હતો જેમાં તે ગાંધીજીના જાણીતા ચરખા ફરાવતા જોઈ શકાય છે. આ સિવાય સનથ જયસૂર્યાએ શ્રીલંકાની રાજકીય સ્થિતિ અંગે વાત કરતાં કહ્યું કે જે રાજકીય કટોકટી સર્જાઈ તે વાવાઝોડા સમાન હતી અને હાલ સ્થિતિ થાળે પડી છે.
 
તેમણે ટ્‌વીટ કર્યું, “મહાત્મા ગાંધીના આશ્રમની મુલાકાત લેવાનો સૌથી વિનમ્ર અનુભવ હતો. તેમનું જીવન આજે પણ આપણને પ્રેરણા આપે છે. વર્તમાનમાં આપણે શું કરીએ છીએ તેના પર ભવિષ્ય ર્નિભર છે. આ પહેલા કરતા વધુ શ્રીલંકાને લાગુ પડે છે. છેલ્લા ૩ મહિના શ્રીલંકા માટે મુશ્કેલ હતા, હવે વસ્તુઓ સારી થઈ રહી છે. સરકાર ધીમે ધીમે વસ્તુઓને ઠીક કરવાનો પ્રયાસ કરી રહી છે, શ્રીલંકામાં પ્રવાસનને વેગ આપવાનો સમય આવી ગયો છે.
 
તેમણે વધુમાં કહ્યું કે હું ભારતમાં ખાસ કરીને ગુજરાતમાં શ્રીલંકાના પ્રવાસનને પ્રોત્સાહન આપવા વિનંતી કરું છું. અમે અહીં પ્રવાસન પ્રમોશન પ્રોગ્રામ કર્યો હતો. ગઈકાલે પણ અમે અહીં રોડ શો કર્યો હતો. અમારા પાડોશી તરીકે ભારતે કટોકટી દરમિયાન શ્રીલંકાને મદદ કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. અમે ભારતના ખૂબ આભારી છીએ.
 
ટાપુ રાષ્ટ્રમાં ઉથલપાથલ વચ્ચે જયસૂર્યાની તાજેતરમાં શ્રીલંકાના પ્રવાસન બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે, જે ગહન આર્થિક સંકટ સામે લડી રહ્યું છે. તેઓ શ્રીલંકાના અગ્રણી અવાજોમાંના એક હતા, જેમણે નિયમિતપણે તત્કાલીન વહીવટની નિંદા કરી હતી.