શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 16 માર્ચ 2021 (09:37 IST)

IND vs ENG: દર્શકો વગર જ રમાશે ટી-20 સીરીઝની બાકીની ત્રણ મેચ, આજે રમાશે ત્રીજી T20

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 સિરીઝ પર પણ કોરોના ફટકો પડ્યો છે. હવે આ શ્રેણીની બાકીની ત્રણ મેચ માટે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસોને કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ નિર્ણય લીધો છે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે ફરી એકવાર કોરોના આતંક વધી રહ્યો છે. કોરોનાએ ફરી એકવાર ગુજરાતને બાનમાં લેવાનું શરૂ કર્યું છે. દિવસે ને દિવસે કોરોના કેસ વધી રહ્યા છે. તંત્રએ અગમચેતીના ભાગરૂપે કોરોના ટેસ્ટીંગ માટે ડોમ શરૂ કરી દીધા છે તો બીજી તરફ 8 વોર્ડમાં ખાણીપીણીના બજારો રાત્રે 10 વાગ્યા પછી બંધ કરી દેવાનો નિર્ણય કર્યો છે. 
 
અમને જણાવી દઈએ કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટી -20 શ્રેણીની બાકીની ત્રણ મેચ પ્રેક્ષકો વગર રમશે. આ સીરીઝની તમામ મેચ મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહી છે. ચાર ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી બે ટેસ્ટ પણ આ જ સ્ટેડિયમમાં રમાઈ હતી. ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) એ ટી 20 શ્રેણીની બાકીની ત્રણ મેચ પ્રેક્ષકો વિના રમવાની ચોખવટ કરી છે.
 
જીસીએના વાઇસ પ્રેસિડેન્ટ ધનરાજ નથવાણીએ જણાવ્યું છે કે 16, 18 અને 20 માર્ચે યોજાનારી મેચની ટિકિટ ખરીદનારા દર્શકોને તેમના પૈસા પરત કરવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું કે, અમદાવાદમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નથવાણીના કહેવા મુજબ બીસીસીઆઈની સલાહ લીધા પછી જ આ નિર્ણય લેવામાં આવ્યો છે.