ગુરુવાર, 19 સપ્ટેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 29 માર્ચ 2023 (16:06 IST)

UPI યુઝર્સ માટે સારા સમાચાર આવ્યા છે, સામાન્ય લોકો પર UPI નો કોઇ ચાર્જ નહીં

Google Pay-  : UPI દ્વારા, ગ્રાહકો અને દુકાનદારો વતી દર મહિને 8 અબજથી વધુ વ્યવહારો કરવામાં આવે છે. સરકારનું આ નિવેદન મીડિયા રિપોર્ટમાં ચાલી રહેલા સમાચારને લઈને આવ્યું છે, જેમાં 2000 રૂપિયાથી વધુની ચુકવણી પર 1.1 ટકા સરચાર્જ લેવાનું કહેવામાં આવ્યું છે.
 
UPI દ્વારા ટ્રાન્ઝેક્શન પણ મોંઘા થશે
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) દ્વારા વેપારી વ્યવહારો પર ચાર્જ વસૂલવાની ભલામણ કરવામાં આવી છે. 
 
આ ફેરફાર 1 એપ્રિલથી લાગુ થઈ શકે છે. પરિપત્ર મુજબ, 1 એપ્રિલથી 2,000 રૂપિયાથી વધુના ટ્રાન્ઝેક્શન પર 1.1 ટકા સરચાર્જ લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ ચાર્જ મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન એટલે કે વેપારીઓને પેમેન્ટ કરનારા ગ્રાહકોને આપવાનો રહેશે.