બુધવાર, 17 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: નવી દિલ્હી , મંગળવાર, 25 ઑગસ્ટ 2020 (22:57 IST)

નીરવ મોદી કેસમાં સરકારની મળી મોટી સફળતા, 24.33 કરોડ રૂપિયાના પ્રથમ હપ્તા મળ્યો

પંજાબ નેશનલ બેંકે કોર્પોરેટ બાબતોના મંત્રાલયને જણાવ્યું છે કે, તેને નીરવ મોદી કેસમાં રિકવરી પ્રાપ્તિના પ્રથમ હપ્તા તરીકે 32.5 લાખ એટલે કે લગભગ 24.33 કરોડ રૂપિયા મળ્યા છે.  રિકવરીનો પ્રથમ હપ્તો મળવો એ મોદી સરકાર માટે મોટી ઉપલબ્ધિ છે. કોર્પોરેટ ફ્રોડના મામલે કોર્પોરેટ ફ્રોડના મામલે ભારતને વિશ્વની સામે આ મોટી સફળતા મળી છે. US Chapter 11  ટ્રસ્ટીને સંપત્તિ વેચીને 1.10 કરોડ  (આશરે 82.66 કરોડ રૂપિયા) પ્રાપ્ત થયા છે, જે પી.એન.બી. સહિતના અન્ય ઘણા લેણદારોને આપવાના છે. 
 
મંત્રાલયે એમ પણ કહ્યું છે કે નીરવ મોદી અને મેહુલ ચોક્સી દ્વારા નિયંત્રિત વસ્તુઓ અથવા સંપત્તિઓમાંથી પૈસા વસૂલ કરવા પગલાં લીધાં છે. ઉલ્લેખનીય છે  કે 2018 માં, પંજાબ નેશનલ બેંકે કોર્પોરેટ બાબતોના મંત્રાલયને માહિતી આપી હતી કે નીરવ મોદી દ્વારા પ્રમોટ કરાયેલી ત્રણ કંપનીઓએ યુ.એસ.ના દક્ષિણના ન્યુ યોર્કમાં ચેપ્ટર 11 નાદારી સંરક્ષણ માટે અમેરિકાની દક્ષીણી જીલ્લા ન્યૂયોર્કમાં અરજી કરી છે. આ ત્રણ કંપનીઓ ફાયરસ્ટાર ડાયમંડ, એ જાફી અને ફેન્ટેસી છે. પીએનબીએ કોર્પોરેટ કાર્ય  મંત્રાલયને એ પણ વિનંતી કરી છે કે તે દેવાદારની  સંપત્તિમાં પોતાના દાવા માટે યુ.એસ. માં ચાલતી આ નાદારીની આ  પ્રક્રિયામાં જોડાય.