Last Modified: નૈરોબી , શુક્રવાર, 30 જાન્યુઆરી 2009 (18:27 IST)
કેન્યાનાં મોલમાં આગઃ40 લાપતાં
કેન્યાની રાજધાની નૈરોબીમાં એક સુપર મોલમાં ભિષણ આગ લાગવાની ઘટના બાદ 40 નાગરિકો ગાયબ થઈ ગયા હોવાના સમાચાર છે.
કેન્યાનાં રેડક્રોસનાં પ્રવક્તા ટિટુસ મુંગોએ જણાવ્યું હતું કે બે દિવસ પહેલા એક સુપર બજારમાં આગ લાગવાથી તે નષ્ટ થઈ ગયું હતું. સ્થાનિક મીડિયાનાં જણાવ્યા મુજબ 40 નાગરિકોમાંથી મોટાભાગનાં મૃત્યુ પામ્યા હશે.
નુકુમાટ્ટ સુપરબજારનાં પ્રવક્તાનાં જણાવ્યા મુજબ આગ લાગી તે સમયે સુપરબજારમાં 100થી વધુ સ્ટાફનાં સભ્યો મોજુદ હતા. તેમજ આગ લાગવાના કારણોની તપાસ હાથ ધરી છે.