1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 12 ડિસેમ્બર 2022 (18:39 IST)

India China Conflict: અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ, 30થી વધુ સૈનિકો ઘાયલ

arunachal
India China Conflict: અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. અથડામણમાં બંને દેશના સૈનિકો ઘાયલ થયાના સમાચાર છે. આ અથડામણ તાજેતરમાં તવાંગ નજીક થઈ હતી. ભારતીય સેના તરફથી સત્તાવાર નિવેદનની રાહ જોવાઈ રહી છે. ઓક્ટોબર 2021માં અરુણાચલ પ્રદેશના યાંગસેમાં બંને દેશના સૈનિકો વચ્ચે વિવાદ થયો હતો. 30થી વધુ જવાનો ઘાયલ થયા છે.
 
આ અથડામણમાં ભારતના 30થી વધુ જવાનો ઘાયલ થયા છે. તે જ સમયે, ચીનના ઘણા સૈનિકો પણ ઘાયલ થયા છે. જોકે ભારતના કોઈ પણ સૈનિક ગંભીર નથી. આ અથડામણ બાદ ભારતના કમાન્ડરોએ શાંતિ સ્થાપવા માટે ચીનના કમાન્ડર સાથે ફ્લેગ મીટિંગ કરી છે.

15 જૂન, 2020ની ઘટના પછી આ પ્રકારની પ્રથમ ઘટના છે. ત્યારબાદ લદ્દાખની ગાલવાન ઘાટીમાં ચીની સૈનિકો સાથેની હિંસક અથડામણમાં 20 ભારતીય 
 
સૈનિકો શહીદ થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. આ અથડામણમાં ચીનના ઘણા સૈનિકો પણ માર્યા ગયા હતા.
india china
આ પહેલીવાર નથી જ્યારે અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે સામ-સામે આવી હોય. આ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ભારતીય અને ચીની સૈનિકો અવારનવાર સામસામે આવી જાય છે. ઑક્ટોબર 2021 માં, આવી જ ઘટના બની હતી જ્યારે કેટલાક ચીની સૈનિકોને ભારતીય સૈનિકોએ યાંગસેમાં થોડા કલાકો માટે અટકાયતમાં લીધા હતા.