1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 18 નવેમ્બર 2014 (12:55 IST)

નરેન્દ્ર મોદી તો NRI બની ગયા છે - લાલુ પ્રસાદ યાદવ

રાષ્ટ્રીય જનતા દળ ચીફ લાલૂ પ્રસાદ યાદવે વિદેશ પ્રવાસને લઈને પ્રધાનમંત્રી નરેન્દ મોદી પર હુમલો કરતા કહ્યુ છે કે પીએમ તો એનઆરઆઈ બની ગયા છે. તેમને કાળા ધનની સાથે સાથે સ્વચ્છતાને લઈને પણ મોદી પર નિશાન સાધ્યુ. 
 
પીએમે ઓસ્ટૃએલિયા પ્રવાસ પર ટિપ્પણી કરતા આરજેડી ચીફે કહ્યુ કે તેઓ NRI બની ચુક્યા છે. તેમનો ઈશારો પીએમના સતત થઈ રહેલ વિદેશ પ્રવાસની તરફ હતો. ત્યારબાદ તેમણે કહ્યુ કે જનતાની સાથે દગો થયો છે. વિદેશોમાં પીએમના જોરદાર સ્વાગત પર ટિપ્પણી કરતા તેમણે કહ્યુ.. ક્યાય તેમના નામનો ડંકો નથી વાગી રહ્યો  બસ મીડિયાને ખરીદી લેવામાં આવ્યો છે.  
 
કાળા નાણાના મુદ્દા પર સવાલ ઉઠાવતા લાલુએ કહ્યુ કે ચૂંટણી પહેલા જે કાળા ધનને લાવવાની વાત કહેવામાં આવી રહી હતી તેનુ શુ થયુ. તેમણે કહ્યુ .. જનતાની સાથે ઠગી કરવામાં આવી છે. પ્રધાનમંત્રી તો બસ દેશને કંજ્યુમર માર્કેટ બનાવવા પર પાછળ જ પડી ગયા છે. કાળા નાણાનુ શુ થયુ.. તે અંગે મોદીએ જવાબ આપવો જોઈએ. 
 
લાલુએ પ્રધાનમંત્રી મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ સફાઈ અભિયાનને પણ દેખાવો કહ્યુ છે. તેમણે કહ્યુ કે પ્રધાનમંત્રી બસ મીડિયામાં બતાડવા માટે જ સફાઈ કરી રહ્યા છે. લાલુએ કહ્યુ મોદીએ ફક્ત ફોટો પડાવવા પુરતી જ ઝાડૂ હાથમાં લીધી છે.