બાબા રામદેવ ખુદ બની ગયા મજાકનું કારણ
ક્યારેક ક્યારેક ઉતાવળ કોઈના મજાકનું કારણ બની જાય છે. આવુ જ કંઈક થયુ છે યોગ ગુરૂ બાબા રામદેવ સાથે. ઉતાવળને કારણે રામદેવ ખુદ મજાક બની ગયા. વાત એમ છે કે યોગ ગુરૂ બાબા રામદેવનુ નામ પદ્મ પુરસ્કારોની લિસ્ટમાં ક્યારેય જોડાયુ જ નહોતુ.
ગૃહ મંત્રાલયે કહ્યુ છે કે રામદેવે મીડિયા રિપોર્ટ્સના આધાર પર ગૃહ મંત્રી રાજનાથ સિંહને લેટર લખીને પદ્મ પુરસ્કાર લેવાની ના પાડી દીધી હતી. જ્યારે કે હકીકત એ છે કે તેમના નામ પર ક્યારેય વિચાર જ નથી થયો. જોકે રામદેવના એક નિકટના સરકારની ઈચ્છા પર સવાલ ઉઠાવતા કહ્યુ કે છેવટે કેન્દ્રએ મીડિયામાં બાબાને પદ્મ પુરસ્કાર આપવાના સમાચારોનુ ખંડન કેમ ન કર્યુ.
મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યુ કે રાજનાથ સિંહે ગયા શુક્રવારે અને શનિવારે લગભગ 7-8 લોકોને જાતે ફોન કરીને તેમને પદ્મ પુરસ્કાર વિશે માહિતી આપી. અધિકારીએ કહ્યુ કે રામદેવ આ લિસ્ટમાં નથી. અધિકારીએ જણાવ્યુ કે પદ્મ પુરસ્કાર માટે અનેક લોકોના નામ આવે છે. એ નામોમાંથી જેમનુ નામ ફાઈનલ થાય છે તેમને ગૃહ મંત્રાલયને ફોન કરીને પુછવામાં આવે છે કે તમને પદ્મ પુરસ્કાર આપવામાં આવી રહ્યો છે શુ તમને કોઈ વાંધો છે.