1. સમાચાર જગત
  2. »
  3. ગુજરાત સમાચાર
  4. »
  5. રાષ્ટ્રીય
Written By વેબ દુનિયા|
Last Modified: નવી દિલ્હી : , બુધવાર, 19 માર્ચ 2014 (10:48 IST)

વારાણસીમાં કેજરીવાલની રેલી 23 માર્ચે નહી 25 માર્ચે યોજાશે

W.D
આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલ 23 માર્ચે વારાણસીમાં રેલી નહી કરી શકે. વિધાન પરિષદની ચૂંટણી હોવાને કારણે સ્થાનિક શહેરી વહીવટીતંત્ર દ્વારા રેલીની મંજૂરી આપવામાં નથી આવી. જેથી આ રેલી હવે 25 માર્ચે યોજાશે.

આમ આદમી પાર્ટીનાં નેતા સંજય સિંહે કહ્યુ કે અરવિંદ કેજરીવાલ 2 દિવસ બાદ એટલે કે 25 માર્ચે રેલી કરી શકે છે. આપ પાર્ટી માટે આ રેલી એટલા માટે મહત્વની છે કે કેમ કે અરવિંદ કેજરીવાલ આ રેલીમાં વારાણસીથી ચૂંટણી લડવાની જાહેરાત કરી શકે છે. તેમણે કહ્યુ હતુ કે તેઓ નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવા માંગે છે, પણ પહેલા તેઓ વારાસણીની જનતાને પૂછશે.

આપ પાર્ટીએ 23 માર્ચે સમગ્ર દેશમાંથી કાર્યકર્તાઓને વારાણસી આવવાનું આહ્વવાન કર્યુ હતુ. નરેન્દ્ર મોદી વારાણસીથી ચૂંટણી લડી રહ્યા છે. અને કેજરીવાલે પણ તેમના વિરુધ્ધ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.