1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 4 માર્ચ 2015 (11:45 IST)

નિર્ભયા કેસ - મુકેશના ઈંટરવ્યુ પ્રસારણ પર લાગી રોક

દિલ્હીની એક કોર્ટે નિર્ભયા કેસમાં સજા મેળવનારા બસ ચાલક મુકેશ સિંહના ઈંટરવ્યુના પ્રકાશન પ્રસારણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ પુનીત પહવાએ રાત્રે 10:30 વાગ્યે રજુ હસ્તલિખિત આદેશમાં કહ્યુ કે બુધવારે બપોર પછી બે વાગ્યે સંબંધિત કોર્ટમાં સુનાવણી સુધી ઈંટરવ્યુના ચેનલ કે વેબસાઈટ પર કોઈ પણ રૂપે પ્રકાશન પર રોક લાગશે. પહવાએ આઈઓ પ્રવિણ કુમારના અનુરોધ પર આ આદેશ આપ્યો છે. ઉક્ત સાક્ષાત્કાર બીબીસીની રિપોર્ટર લેસ્લી ઉડવિન દ્વારા કરવામાં આવ્યો હતો.