શનિવાર, 27 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (11:31 IST)

બાબા રામદેવની પતંજલિ એક વાર ફરી વિવાદોમાં

યોગગુરૂ રામદેવના પતંજલિ બ્રાંડના ગાયના ઘીની તપાસ કરવામાં આવશે. માહિતગારો મુજબ હરીદ્વારમાં કેટલાક લોકોએ ઘી ના ડબ્બામાં ફંગસની ફરિયાદ કરી હતી. આ દરમિયાન ખાદ્ય સુરક્ષા અધિકારીઓએ પતંજલિ ઘી ના સંપલ લીધા છે. સૈપલને તપાસ માટે રુદ્રપુર ખાતે લૈબને મોકલવામાં આવ્યા છે. તપાસ રિપોર્ટ 15 દિવસની અંદર આવવાની આશા છે. 
 
રામદેવના સહયોગી બાલકૃષ્ણ આ આરોપોને નિરાધાર બતાવે છે. તેમણે કહ્યુ કે તેઓ જે ઘી બનાવે છે તેને યોગ્ય તાપમાન પર ગરમ કર્યા પછી પેક કરવામાં આવે છે. તેથી તેમાં ફંફુદ લાગવાનો તો સવાલ જ નથી ઉભો થતો. આ નિરાધાર આરોપ પતંજલિની છબિને ખરાબ કરવા માટે લગાવવામાં આવ્યો છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ રામદેવની પતંજલિ નૂડલ્સ પર વિવાદ ઉભો થઈ ગયો હતો અને તેના સૈંપલ પણ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પણ રિપોર્ટ હજુ સુધી આવી નથી.