1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બરેલી. , મંગળવાર, 30 ઑગસ્ટ 2016 (12:24 IST)

જે પાકિસ્તાનની વાતો કરે તેને ગોળી મારી દો - તોગડિયા

વિશ્વ હિન્દુ પરિષદના ફાયરબ્રાંડ નેતા પ્રવીણ તોગડિયાએ જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન પરિસ્થિતિ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ નામ લીધા વગર જ તેમની પર નિશાન સાધ્યુ છે. 
 
યૂ.પી ના બરેલીમાં એક વ્યક્તિગત કાર્યક્રમમાં પહોંચેલ તોગડિયાએ કહ્યુ કે દેશની રક્ષા ભાષણોથી નથી થતી. દેશની રક્ષા બંદૂકની ગોળી, તોપ અને તલવારથી થાય છે. જે લોકો પાકિસ્તાનની વાત કરે છે સેનાને આદેશ કરો કે તેમને ગોળી મારી દો. આવા લોકોને રબરની ગોળી ન મારશો લોખંડની ગોળી મારી દો.