વિરમગામમાં સીએમના કાર્યક્રમમાં પાટીદારોના નારા
વિરમગામઃ આજે હાર્દિક પટેલના વતન વિરમગામમાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન આનંદીબેન પટેલ જેવા ભાષણ આપવા ઊભા થયા અને ભાષણની શરૂઆત કરે તે પહેલા જ જય સરદાર, જય પાટીદારના નારા લાગવા માંડ્યા હતા. જેને કારણે પોલીસ દોડતી થઈ ગઈ હતી. જેને કારણે થોડીવાર માટે આનંદીબેને ભાષણ થોભાવી દેવું પડ્યું હતું. જોકે, થોડીવાર પછી આનંદીબેને ભાષણ શરૂ કર્યું હતું.
બીજી તરફ પાટીદાર મહિલાઓએ આનંદીબેન પટેલનો વિરોધ કર્યો હતો અને જય સરદાર, જય પાટીદારના નારા લગાવ્યા હતા. વિરોધ કરનાર મહિલાઓની પોલીસે અટકાયત કરી છે.