શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. આઈપીએલ 2020
Written By
Last Modified: શનિવાર, 24 ઑક્ટોબર 2020 (10:42 IST)

IPL 2020 MI vs CSK: ધોનીનુ મોટુ નિવેદન, કહ્યુ - આ કારણે પ્લેઓફમાં પહેલીવાર ન પહોચી શકી ટીમ

આઈપીએલ 2020 ની 41 મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમને મુંબઈ ઈન્ડિયન્સના હાથે 10 વિકેટથી અપમાનજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ હાર સાથે, સીએસકેની પ્લે ઓફમાં પહોંચવાની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ હતી. ટીમના બેટ્સમેનોના નબળા પ્રદર્શનને કારણે ટીમ મુંબઇ સામે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 114 રન જ બનાવી શકી હતી. જેના જવાબમાં મુંબઇની ટીમે આ લક્ષ્યાંક કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 12.2 ઓવરમાં મેળવી લીધો હતો. ટીમની આ પરાજયથી કેપ્ટન ધોની ખૂબ નિરાશ જોવા મળ્યો હતો અને તેણે પ્લે ઓફમાં સ્થાન ન મેળવી શકવાની મહત્વની વાત બતાવી. 
 
 
મુંબઈ સામેની હાર બાદ ધોનીએ કહ્યું, 'આ દુખ પહોચાડે છે. અમારે એ જોવાની જરૂર છે કે અમારાથી ક્યા ભૂલ થઈ છે. આ વર્ષ અમારું વર્ષ નહોતું. આ વર્ષે માત્ર એક કે બે મેચોમાં અમારી બેટિંગ અને બોલિંગ સારી રહી છે. તમે 10 વિકેટથી અથવા 8 વિકેટથી હારી જાઓ છો તેનાથી કોઈ ફરક પડતો નથી.હું માનું છું કે બીજો મુકાબલો સંપૂર્ણ રીતે બોલરોનો હતો. આ વર્ષે અમારી બેટિંગ ચાલી નહી.  રાયડુ ઘાયલ થયા અને બાકીના બેટ્સમેન સારો દેખાવ કરી શક્યા નહીં, જેના કારણે બેટિંગ ઓર્ડર પર દબાણ વધ્યું. જ્યારે ઓપનર્સ સારી શરૂઆત આપવામાં નિષ્ફળ જાય છે, ત્યારે મિડ ઓર્ડર બેટ્સમેનો પર ઘણાં દબાણ હોય છે. , ક્રિકેટમાં જ્યારે તમે મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છો, ત્યારે તમને નસીબની પણ જરૂર હોય છે, પરંતુ આ ટૂર્નામેન્ટમાં, અમારી તરફેણમાં કશું જ નહોતું.
 
શારજાહમાં રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ચેન્નઈની શરૂઆત ખરાબ રહી હતી અને પાવરપ્લેના અંતે, સીએસકેની અડધી ટીમ પેવેલિયન ભેગી થઈ હતી ટીમ તરફથી સૈમ કુર્રને 52 રનની રમત રમીને ચેન્નઈને 20 ઓવરમાં 114 રનના સ્કોર સુધી પહોંચાડી હતી.