સંબંધિત સમાચાર
- લોકસભા ચૂંટણી 2024 - પીએમ મોદીએ ગુરુદ્વારામાં રોટલી બનાવી અને ભોજન પણ પીરસ્યું.
- Lok Sabha Elections 2024: સુરેશ ખન્ના, માધવી લથા, અલ્લુ અર્જુન અને જુનિયર એનટીઆરએ મતદાન કર્યું, 10 રાજ્યોમાં 96 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન
- PM મોદી 14 મેના રોજ વારાણસીમાં નામાંકન ભરશે, રામ મંદિરને પવિત્ર કરનાર ગણેશ્વર શાસ્ત્રી પ્રસ્તાવક હશે.
- Lok Sabha Elections 2024: ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ યોગી આદિત્યનાથ વારાણસી પહોંચ્યા અને ગંગા આરતીમાં ભાગ લીધો
- કોંગ્રેસ કેંડિડેટ બોલ્યા - બે પત્નીવાળાને બે લાખ રૂપિયા આપીશુ - જીતુએ કર્યુ સમર્થન
Lok Sabha Election 2024: PM મોદીએ વારાણસી સીટ પરથી દાખલ કર્યુ નામાંકન, આ ચાર લોકો બન્યા પ્રસ્તાવક
વારાણસી લોકસભા ચૂંટણી 2024ને લઈને ચાર તબક્કાનુ મતદાન પુરૂ થઈ ચુક્યુ છે. ત્રણ ચરણોમાં ચૂંટણી હજુ બાકી છે. આ પહેલા પીએમ મોદી આજે વારાણસી લોકસભા સીટ પરથી નામાંકન ભર્યુ. પીએમ મોદીના નામાંકન દરમિયાન તેમની સાથે ચાર પ્રસ્તાવક પણ કલેક્ટ્રેટમાં હાજર રહ્યા. ઉલ્લેખનીય છે કે પીએમ મોદી ઉમેદવારી ભરવાના એક દિવસ પહેલા જ બનારસ પહોચી ગયા. તેમણે ગઈકાલે સાંજે 5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો. રોડ શો પછી પીએમ મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અર્ચના પણ કરી. ત્યારબાદ કાળ ભૈરવ મંદિરમાં આશીર્વાદ લીધા પછી પીએમે નામાકન ભર્યુ.
પીએમ દશાશ્વમેધ ઘાટથી ક્રુઝમાં સવાર થઈને નમો ઘાટ પહોંચ્યા હતા. બાદમાં મોદીએ કાલ ભૈરવના મંદિરે પહોંચી કાલભૈરવના દર્શન કર્યા. અહીંથી તેઓ સીધા કલેક્ટર કચેરીએ પહોંચીને નોમિનેશન ફાઇલ કરશે.
ગંગા પૂજા કરનાર પંડિત વેંકટરામન ઘનપતિએ કહ્યું- PMએ ખૂબ જ ભક્તિભાવથી માતા ગંગાની પૂજા કરી. 6 પંડિતોએ ગંગા પૂજા કરાવી હતી. તેમણે માતાના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી.
