સંબંધિત સમાચાર
- Punjab Firozpur News: ફિરોઝપુરમાં એક ઘર પર પાકિસ્તાની ડ્રોન પડ્યું, એક જ પરિવારના ત્રણ સભ્યો ઘાયલ, સંપૂર્ણ બ્લેકઆઉટ લાગુ
- જમ્મુ-કાશ્મીરના નાગરોટામાં પાકિસ્તાને 15 થી વધુ મિસાઇલો છોડી, ભારતીય સેનાએ બધી મિસાઇલો હવામાં જ તોડી પાડી
- હું જ્યાં હું છું ત્યાં ધમાકા થઈ રહ્યા છે', મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ લોકોને કરી અપીલ, કહ્યું- રસ્તાઓ પર ન નીકળો
- પૂંછ, ઉરી સહીત જમ્મુ-કાશ્મીરનાં અનેક વિસ્તારોમાં પાકિસ્તાની સેના કરી રહી છે ગોળીબાર, સાયરનથી ગૂંજી ઘાટી
- પાકિસ્તાન પર આજની રાત ભારે! હવે ભારતની વ્યૂહરચના "નિર્ણાયક" નહીં "સર્જિકલ" હશે
બારામુલ્લાથી ભુજ સુધી... પાકિસ્તાને ભારતનાં 26 સ્થળોએ કર્યો ડ્રોન અટેક, જાણો ક્યાં ક્યા થયો હુમલો ?
શુક્રવારે પાકિસ્તાને ભારતમાં ઘણી જગ્યાએ ડ્રોનનો ઉપયોગ કરીને ઝડપી હુમલાઓ કર્યા હતા પરંતુ ભારતીય સેનાએ આ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા હતા. ભારતીય સેનાએ આકાશમાં જ ડ્રોનને તોડી પાડ્યું. ભારતમાં 26 સ્થળોએ ડ્રોન જોવા મળ્યા છે, ઉત્તરમાં બારામુલ્લાથી દક્ષિણમાં ભૂજ સુધી, આંતરરાષ્ટ્રીય સરહદ અને પાકિસ્તાન સાથેની નિયંત્રણ રેખા પર. આમાં શંકાસ્પદ સશસ્ત્ર ડ્રોનનો સમાવેશ થાય છે જે નાગરિક અને લશ્કરી લક્ષ્યો માટે સંભવિત ખતરો છે. આ સ્થળોમાં બારામુલ્લા, શ્રીનગર, અવંતીપોરા, નગરોટા, જમ્મુ, ફિરોઝપુર, પઠાણકોટ, ફાઝિલ્કા, લાલગઢ જટ્ટા, જેસલમેર, બાડમેર, ભુજ, કુઆરબેટ અને લાખી નાલાનો સમાવેશ થાય છે.
પાકિસ્તાની ડ્રોનનો કરવામાં આવી રહ્યા છે નષ્ટ
કમનસીબે, એક સશસ્ત્ર ડ્રોન દ્વારા ફિરોઝપુરમાં એક નાગરિક વિસ્તારને નિશાન બનાવવામાં આવ્યો, જેના પરિણામે એક સ્થાનિક પરિવારના સભ્યો ગંભીર રીતે ઘાયલ થયા. ઘાયલોને તબીબી સહાય પૂરી પાડવામાં આવી છે અને સુરક્ષા દળો દ્વારા વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે.
ભારતીય સશસ્ત્ર દળો ઉચ્ચ સ્તરની સતર્કતા જાળવી રહ્યા છે, અને આવા તમામ હવાઈ જોખમોને ટ્રેક કરવામાં આવી રહ્યા છે અને કાઉન્ટર-ડ્રોન સિસ્ટમનો ઉપયોગ કરીને તેનો સામનો કરવામાં આવી રહ્યો છે. પરિસ્થિતિ પર નજીકથી અને સતત નજર રાખવામાં આવી રહી છે, અને જ્યાં જરૂર હોય ત્યાં તાત્કાલિક પગલાં લેવામાં આવી રહ્યા છે.
નાગરિકોને આપવામાં આવી સલાહ
નાગરિકો, ખાસ કરીને સરહદી વિસ્તારોમાં રહેતા લોકોને, ઘરની અંદર રહેવા, બિનજરૂરી હિલચાલ મર્યાદિત કરવા અને સ્થાનિક અધિકારીઓ દ્વારા રજુ કરાયેલ સલામતી સૂચનાઓનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવે છે. જોકે ગભરાવાની જરૂર નથી, પણ સતર્ક અને સાવધ રહેવું મહત્વપૂર્ણ છે.
