ગુરુવાર, 6 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 21 સપ્ટેમ્બર 2021 (09:59 IST)

અખાડા પરિષદના અધ્યક્ષ મહંત ગિરિની હત્યા કે આત્મહત્યા? શિષ્ય આનંદ ગિરિ દોષી સાબિત થશે ?

Mahant Narendra Giri Died in Prayagraj
શંકાસ્પદ હાલતમાં ફાંસી પર મૃતદેહ લટકતો મળ્યો
પ્રયાગરાજ અખાડા પરિષદના પ્રમુખ મહંત નરેન્દ્ર ગિરિનું સોમવારે શંકાસ્પદ સંજોગોમાં અવસાન થયું છે. પોલીસના જણાવ્યા મુજબ મહંતનો મૃતદેહ ફાંસીથી લટકતો મળી આવ્યો હતો. અખાડા પરિસદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરીના મૃત્યુ સંદર્ભે તેમના શિષ્ય આનંદ ગિરીને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. નરેન્દ્ર ગિરીના રૂમમાંથી મળી આવેલી સ્યુસાઇડ નોટમાં આનંદ ગિરીનું નામ છે. આનંદ ગિરિ પર તેમને પરેશાન કરવાનો આરોપ છે. આનંદ ગિરી અને નરેન્દ્ર ગિરી વચ્ચે ગયા વર્ષે ઘણો વિવાદ થયો હતો. નરેન્દ્ર ગિરીએ આનંદ ગિરીને પણ મઠમાંથી બહાર કર્યા હતા