ગુરુવાર, 10 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated :નવી દિલ્હીઃ , ગુરુવાર, 10 ઑક્ટોબર 2024 (00:29 IST)

જાણીતા ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન, 86 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Ratan Tata passes away
પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું નિધન થયું. તેમણે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી.
 
રાજનાથ સિંહે વ્યક્ત કર્યો શોક 
દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંહે પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરીને લખ્યું, 'શ્રી રતન ટાટાના નિધનથી દુઃખી. તેઓ ભારતીય વેપારના મહાન નેતા હતા જે આપણા અર્થતંત્ર, વેપાર અને ઉદ્યોગમાં તેમના નોંધપાત્ર યોગદાન માટે જાણીતા હતા. તેમના પરિવાર, મિત્રો અને ચાહકો પ્રત્યે મારી ઊંડી સંવેદના. તેમની આત્માને શાંતિ મળે

.
 
હર્ષ ગોએન્કાએ X પર કરી પોસ્ટ  
RPG એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોએન્કાએ તેમના X હેન્ડલ પર રતન ટાટાના નિધન પર પોસ્ટ કર્યું. તેણે લખ્યું, 'ઘડિયાળની ટિક ટિકિંગ બંધ થઈ ગઈ છે. ટાઇટનનું અવસાન થયું. રતન ટાટા પ્રામાણિકતા, નૈતિક નેતૃત્વ અને પરોપકારનું ઉદાહરણ હતું, જેમણે વ્યવસાય અને તેનાથી આગળની દુનિયા પર અમીટ છાપ છોડી છે. તે અમારી યાદોમાં હંમેશા ઉચ્ચ રહેશે.