સંબંધિત સમાચાર
- ચોટીલામાં સિંહોની ડણક સંભલાઇ: લોકો થરથર ધ્રૂજ્યા
- સુરતના વૃદ્ધની આંખમાંથી નિકળ્યો 7 સેંટીમીટર લાંબો જીવતો કિડો
- નિત્યાનંદ આશ્રમમાં ઇમિગ્રેશન વિભાગ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ અંગે તપાસ
- શાળાઓ મર્જ કરવા મુદ્દે શિક્ષકો અને વાલીઓમાં સરકાર સામે રોષ ભભૂક્યો
- ભાજપનાં કાર્યક્રમોમાં અલ્પેશ ઠાકોરની સુચક ગેરહાજરીથી ચર્ચાઓ શરુ થઈ
પારિવારિક શાંતિ અને પરમાત્મ અનુભૂતિ શિબિર’
બ્રહ્માકુમારીઝ ગાંધીનગર સેવાકેન્દ્રના ૪૦મા વાર્ષિકોત્સવ નિમિત્તે, રંગમંચ, સેકટર-૨૮, ગાંધીનગર ખાતે આદરણીય ઉષા દીદીની અમૃતવાણીમાં આયોજિત ‘પારિવારિક શાંતિ અને પરમાત્મ અનુભૂતિ શિબિર’નો સેંકડો ભાઈ બહેનોએ લાભ લઈ આત્મા, પરમાત્મા, સ્વધર્મની સાચી ઓળખ મેળવેલ. ઉપસ્થિત શિબિરાર્થીની માંગને લક્ષ્યે લઈ શિબિરાના ચોથા અને છેલ્લા દિવસે સમાપનમાં રાજયોગિની કૈલાશ દીદીજીએ ખુશ ખબર સંભળાવતાં ૨૨ નવેમ્બર, ૨૦૧૯ શુક્રવારથી સવારે ૭ થી ૮ અને રાત્રે ૮ થી ૯, બ્રહ્માકુમારીઝ, શિવશક્તિ ભવન, ઈન્કવાયરી ઓફિસ પાસે, સેકટર-૨૮, ગાંધીનગર ખાતે શરૂ થતી એડવાન્સ રાજયોગ શિબિરની જાહેરાત કરી તે માટે સૌને હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે. તથા જે ભાઈ બહેનો આ સમય દરમ્યાન આવી ના શકે તેઓ આજ સ્થળે સવારે ૮.૦૦ થી ૧૧.૦૦ અને સાંજે ૪.૦૦ થી ૭.૦૦ અનુકૂળતાએ એક કલાક માટે આવી શિબિર / એડવાન્સ રાજયોગ શિબિર કરી શકે છે
