સંબંધિત સમાચાર
- કોંગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું, વધુ ધારાસભ્યો પાર્ટી છોડે તેવી અફવાઓ
- 'કોરોનાના નામે કોંગ્રેસના તમામ ધારાસભ્યો જયપૂરના રિસોર્ટમાં જલસા કરવા જઇ રહ્યા છે''
- કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાનો આક્ષેપ : ભાજપે કૉંગ્રેસના ધારાસભ્યોને 65 કરોડમાં ખરીદ્યા
- રાજ્યમાં ધો.1થી 12ની શાળાઓ જૂન મહિનામાં શરૂ નહીં થાય
- રાજ્યસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને આંચકો, કોંગ્રેસના બે ધારાસભ્યોના રાજીનામાં
ધારાસભ્યો બચાવવા માટે કોંગ્રેસ અન્ય નેતાઓને જવાબદારી સોંપશે
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ ન થાય તે માટે તેઓ રાજસ્થાનના ફાઈવ સ્ટાર રિસોર્ટમાં રહી આવ્યા હતા. પરંતુ કોરોનાના કારણે તેમને પાછા ફરવું પડ્યું હતું . હવે ચૂંટણી પંચે ફરી રાજ્યસભાની તારીખ નક્કી કરતાં હવે કોંગ્રેસના ધારાસભ્યોની આજે અમદાવાદ કોંગ્રેસ ભવન ખાતે મિટિંગ યોજાનાર છે. કોંગ્રેસના રાજ્યસભાની ચૂંટણીમાં શક્તિસિંહ અને ભરતસિંહની ઉમેદવારી થયા બાદ 5 ધારાસભ્યો કોંગ્રેસનો સાથ છોડી દીધો હતો અને બચેલા ધારાસભ્યોને બચાવવા રાજસ્થાન લઈ જવા પડયા હતા. હવે લોકડાઉનમાં આંશિક રાહત મળ્યા બાદ રાજ્યસભાના ગણિત ગણવા માટે ભાજપ અને કોંગ્રેસ બન્ને મિટિંગ શરૂ કરીને રણનીતિ તૈયાર કરવા માંગે છે. આજે બપોરે કોંગ્રેસના ધારાસભ્યોની અમદાવાદ કચેરીમાં મીટીંગ યોજાનાર છે.અને હવે કોઈ અન્ય ધારાસભ્ય કોંગ્રેસના સાથ છોડીને ન જાય તે માટે જવાબદારી સોંપવામાં આવનાર છે.
