1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 8 માર્ચ 2022 (09:11 IST)

9 માર્ચથી જન શતાબ્દી, લોકશક્તિ અને સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનનું નડિયાદને મળ્યું સ્ટોપેજ

પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરી કરતા મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખીને, અમદાવાદ-એકતાનગર-અમદાવાદ જનશતાબ્દી એક્સપ્રેસ, બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ અને મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ ટ્રેનોને 9મી માર્ચ 2022થી પ્રાયોગિક ધોરણે 6 મહિના માટે નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે. જેની વિગતો નીચે મુજબ છેઃ-
 
1. ટ્રેન નંબર 20947 અમદાવાદ-એકતાનગર જનસતાબ્દિ એક્સપ્રેસનો સમય નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 08.26/08.28 કલાકનો રહેશે.
 
2. ટ્રેન નંબર 20950 એકતાનગર-અમદાવાદ જન શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનનો સમય નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 22.23/22.25 કલાકનો રહેશે
 
3. ટ્રેન નંબર 22927 બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ ટ્રેનનો સમય નડિયાદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 03.07/03.09 રહેશે
 
4. ટ્રેન નંબર 22945 મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસનો સમય નડિયાદ સ્ટેશન પર ટ્રેનનો આગમન/પ્રસ્થાનનો સમય 03.42/03.44 કલાકનો રહેશે.