રાજયસભાની ચૂંટણી પુર્વે ભાંગફોહ રોકવા માટે ધારાસભ્યોને જુદા-જુદા કેમ્પમાં રાખનાર કોંગ્રેસે હવે બાકીના આઠ દિવસોમાં પક્ષપલ્ટો કરનારા ધારાસભ્યોને ખુલ્લા પાડવા તેમના જ મતક્ષેત્રોમાં ધરણા સહિતના કાર્યક્રમો કરવાનો વ્યુહ અપનાવ્યો છે. રાજકોટના કોંગ્રેસ ધારાસભ્યોના કેમ્પનો મુકામ આજે ગઢડા રાખવાનું નકકી કરાયું છે. વિધાનસભાના વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ આજે વાતચીતમાં કહ્યું કે...