શનિવાર, 5 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 15 નવેમ્બર 2023 (08:54 IST)

Subrata Roy: સુબ્રત રોય સહારાના નિધન પછી ગામના નાના રોકાણકારોનું શું થશે?

subrata mukherjee
Subrata Roy Passed Away: સહારા ઈન્ડિયા ગ્રુપના સ્થાપક અને ચીફ સુબ્રત રોયનું મંગળવારે મુંબઈમાં નિધન થયું. તેમના નિધન બાદ નાના રોકાણકારોને ચિંતા થવા લાગી છે કે તેઓ તેમના પૈસા પાછા મેળવી શકશે કે કેમ.
 
Subrata Roy News:: સહારા ઈન્ડિયા ગ્રુપના વડા સુબ્રત રોયનું મંગળવારે નિધન થયું. તેમણે 75 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા. તેઓ છેલ્લા ઘણા દિવસોથી ગંભીર બીમારીથી પીડાતા હતા અને મુંબઈની એક ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. તેઓ દેશભરમાં સહારા શ્રી તરીકે પ્રખ્યાત હતા. તેમની ગણના ભારતના મોટા ઉદ્યોગપતિ તરીકે થતી હતી. સુબ્રત રોયે સહારા ઈન્ડિયા પરિવારની સ્થાપના કરી હતી. સુબ્રત રોય સહારાના નિધન પછી સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે નાના રોકાણકારો, ખાસ કરીને ગામડાઓમાં રહેતા લોકોનું શું થશે. શું તેઓ તેમના પૈસા પાછા મેળવી શકશે?
 
તમને જણાવી દઈએ કે દેશભરના લાખો રોકાણકારોના પૈસા સહારા ઈન્ડિયામાં ફસાઈ ગયા હતા. સહારામાં રોકાણની પાકતી મુદત પૂરી થયા પછી પણ લોકોને તેમના પૈસા પાછા મળી રહ્યા ન હતા. આ પછી સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ રોકાણકારોમાં આશા જાગી છે. આ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે નિર્ણય લીધો હતો અને સહારા રિફંડ પોર્ટલ શરૂ કર્યું હતું.