વરિષ્ઠ નેતા અને પૂર્વ ઉપપ્રધાનમંત્રી લાલકૃષ્ણ અડવાનીએ કહ્યુ છે કે આગામી લોકસભા ચુંટણીમાં ભગવા પાર્ટીના પાછલા બધા રેકોર્ડ તૂટી જશે.
તેમણે કહ્યુ કે ભાજપા કાર્યકાર્તાઓમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેને જોતા લાગે છે કે પાર્ટીએ આ લોકસભા ચુંટણીમાં વધુ સીટો મળશે, જે અગાઉની ચુંટણીઓથી વધુ હશે.
બીજી બાજુ ઉત્તરપ્રદેશની પૂર્વ પ્રધાનમંત્રી માયાવતીએ ભાજપા પર નિશાન સાધતા કહ્યુ કે કેટલાક લોકો હવામાં વાતો કરતા રહે છે. તેમણે કહ્યુ કે આ પાર્ટી અંદરોઅંદરના ઝગડામાં વ્યસ્ત છે. જ્યારે પરિણામ આવશે ત્યારે બધુ સામે આવી જશે. કોંગ્રેસે કહ્યુ કે યૂપીએ હેટ્રિક બનાવશે.