ગુરુવાર, 24 ઑક્ટોબર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 11 જુલાઈ 2023 (10:23 IST)

ઉત્તરાખંડ: ભારે વરસાદ વચ્ચે વાહનો પર પથ્થરો પડ્યા હતા

ઉત્તરાખંડ: ઉત્તરકાશીમાં સોમવારે રાત્રે એક અકસ્માતમાં ચાર લોકોના મોત થયા હતા. ઉત્તરકાશીમાં એક મોટો અકસ્માત થયો હતો, જેમાં ગંગોત્રીથી ઉત્તરકાશી પરત ફરી રહેલા તીર્થયાત્રીઓના વાહનો પર સુનગર નજીક પહાડો પરથી પથ્થરો પડી ગયા હતા. ત્રણ પેસેન્જર વાહનો કાટમાળમાં ફસાઈ ગયા હતા.

પહાડોમાં ભારે વરસાદ ચાલુ છે. જેના કારણે 10મી જુલાઈની રાત્રે ઉત્તરાખંડમાં મુસાફરો સાથે મોટો અકસ્માત થયો હતો.
 
ઘણા લોકો ઘાયલ
રિપોર્ટ અનુસાર, સ્થાનિક લોકોએ રાત્રે જ તમામ મુસાફરોને કાટમાળમાંથી બહાર કાઢ્યા હતા. પરંતુ ખડકો પડવાને કારણે બચાવ કામગીરી આગળ વધી શકી ન હતી. તે બીજા દિવસે એટલે કે 11મી જુલાઈની સવારે શરૂ થઈ. ડિઝાસ્ટર સ્વયંસેવક રાજેશ કુમારે જણાવ્યું કે 6 થી વધુ લોકોને સુરક્ષિત કાઢી લેવામાં આવ્યુ છે. 
 
જોકે, સ્થાનિક લોકોની મદદથી મોડી રાત્રે કેટલાક મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ દુર્ઘટનામાં માર્યા ગયેલા તમામ મુસાફરો મધ્યપ્રદેશના ઈન્દોરના હતા.

Edited By-Monica Sahu